કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2020 11:55 AM (IST)
છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા કેસો 168 નોંધાયા છે. જેની સામે 184 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 3 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસો સૌથી વધુ છે, ત્યારે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસનો આંકડો ઘટ્યો છે. હાલ શહેરમાં કોરોના એક્ટિવક કેસનો આંકડો ૩૦20 ઉપર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા કેસો 168 નોંધાયા છે. જેની સામે 184 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 3 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૬,264 તો મોતનો આંકડો ૧૮૦3 પર પહોંચી છે. શહેરમાં કુલ 31,441 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ઝોન દીઠ(11 ઓક્ટોબરની અખબારી યાદી પ્રમાણે) ઝોન એક્ટિવ કેસ મધ્ય 293 પૂર્વ 364 પશ્ચિમ 559 ઉત્તર પશ્ચિમ 533 દક્ષિણ પશ્ચિમ 462 ઉત્તર 327 દક્ષિણ 501