અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 39 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે બનાસકાંઠા જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારની https://gujcovid19.gujarat.gov.in/ વેબસાઇટ પર આપેલા ડેટા પ્રમાણે ગઈ કાલે 39 લોકો સાથે કુલ 791 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ હાલ એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી. નોંધનીય છે કે, ચાર ઓગસ્ટ 147 લોકોએ કોરોનાને મ્હાત આપતાં કોરોનામુક્ત બન્યો હતો. જોકે, નવા કેસો ફરીથી નોંધાયા હતા. પરંતુ હાલ, એક પણ એક્ટિવ કેસ નથી.


તમામ લોકોએ કોરોનાને મ્હાત આપતાં વેબસાઇટ પર આ જિલ્લો કોરોનામુક્ત કરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જોકે, મોટી રાહતની વાત એ છે કે, હવે એક પણ કોરોનાનો દર્દી આ જિલ્લામાં નથી. ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર જિલ્લો એવો છે, જે કોરોનામુક્ત છે.