હાર્દિકે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અમને ઉપવાસ આંદોલન માટે બંધારણીય રીતે પરમિશન આપો. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો સૌને અધિકાર છે. જેથી બંધારણીય રીતે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું.
જોકે તંત્ર દ્વારા અમદાવાદના નિકોલમાં જગ્યા નહીં ફાળવવાના ગેરબંધારણીય નિર્ણય સામે 19મી ઓગસ્ટે નિકોલ ખાતેના પાર્કિંગ ઝોન ગ્રાઉન્ડમાં હાર્દિક સહિત 501 યુવાનો એક દિવસ માટે ગાડી પર બેસીને પ્રતીક ઉપવાસ કરશે. શુક્રવારે પાસ કન્વીનરે આ જાહેરાત કરી છે.