ઉલ્લેખનીય છે કે, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ફરન્સમાં હાજરી આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા જ કેવડિયા જશે.
ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે. આ કોન્ફરન્સમાં રાજનાથ સિંહ અને અજીત ડોભાલ પણ હાજર રહેશે.