રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 48 દિવસ બાદ ફરી કેસ 500ની પાર પહોંચ્યા છે. રાજ્યમાં નવા કેસ 515 નોંધાયા છે તો માત્ર અમદાવામાં જ 113 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2858 સુધી પહોંચ્યો છે.


રાજ્યમાં અમદાવાદથી 113, સુરતમાં 101, વડોદરામાં 90, રાજકોટમાં 46 નવા કોરોનાના કેસ નોંઘાયા છે. રાજ્યમાં નવ જિલ્લામાં બે-બે અને 4 જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

અમદાવાદમાં ફરી સંક્રમણ વધી રહ્યું છે.  શુક્રવારે  કોરોનાના નવા 113 કેસ નોંધાયા તો  એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.સંક્રમણ વધતા - શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની 44 પર પહોંચી છે. અમદાવાદઓઢવ ઉપરાંત પ્રહલાદનગર અને સેટેલાઈટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધયા છે. ખેડા જિલ્લામાં k  વધુ 9 પોઝિટિવના કેસ નોંધાયા તો નડિયાદમાં ત્રણ, ઠાસરામાં 2, તેમજ ગળતેશ્વર, કપડવંજ, મહેમદાવાદ  1-1 કેસ નોંધાયા છે.