રાજ્યમાં અમદાવાદથી 113, સુરતમાં 101, વડોદરામાં 90, રાજકોટમાં 46 નવા કોરોનાના કેસ નોંઘાયા છે. રાજ્યમાં નવ જિલ્લામાં બે-બે અને 4 જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
અમદાવાદમાં ફરી સંક્રમણ વધી રહ્યું છે. શુક્રવારે કોરોનાના નવા 113 કેસ નોંધાયા તો એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.સંક્રમણ વધતા - શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની 44 પર પહોંચી છે. અમદાવાદઓઢવ ઉપરાંત પ્રહલાદનગર અને સેટેલાઈટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધયા છે. ખેડા જિલ્લામાં k વધુ 9 પોઝિટિવના કેસ નોંધાયા તો નડિયાદમાં ત્રણ, ઠાસરામાં 2, તેમજ ગળતેશ્વર, કપડવંજ, મહેમદાવાદ 1-1 કેસ નોંધાયા છે.