Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગરમા આજે આતરાષ્ટ્રીય સંત સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સમેલનમાં ૨૫૦થી વધુ સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ સંતોએ યાત્રા યોજીને પ્રમુખ સ્વામીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. કોંન્ફોરન્સ હોલમા સભામાં તમામ સંતો હાજર રહ્યા હતા. આ સંત સંમેલનમા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિ પણ ઉપસ્થિત રહેશે.


હાજર સંતોનું નિવેદન


પ્રમુખ સ્વામી એક ભગવાનનો અંશ હતા. એક અવિચારિય અને અકલ્પનીય આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરના તમામ મોટા સંતો આજે આ સંમેલનમાં આવ્યા છે. સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, આટલું સુંદર આયોજન સંતોએ કર્યું છે. સંતોનું કામ સમાજને સારા માર્ગ પર લઈ જવાનું હોય છે. બાળકોમાં ઘર્મને ઉતારવાની જવાબદારી સંતોની છે. સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે, બાકી બધા સંપ્રદાય છે. દ્વારકાથી એકમંચ પર આવીને યાત્રા કાઢીશું. આટલા સાધુઓનું એક મંચ પર એકઠા થવું એ જ એકતા છે.


કોરોનાના ખતરાને લઈને પતંગના વેપારીઓ ચિંતામાં મુકાયા


એક તરફ હજુ માંડ માંડ ધંધા-વેપાર કોરોના પછી પાટે ચડ્યા હતા. તેમાંય ખાસ અલગ અલગ તહેવારો પર આધારિત સીઝનેબલ ધંધા વેપારની પરિસ્થિતિ કોરોના દરમિયાન કથળી હતી. ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેવામાં કોરોના સંદર્ભે લેવાઈ રહેલી તકેદારી અને વિશ્વમાં કોરોનાના ફેલાવાએ વેપારીઓની ચિંતા વધારી દીધી છે. પતંગના હોલસેલ વેપાર સાથે જોડાયેલ વેપારીઓનું માનીએ તો એક સપ્તાહ પહેલા એટલે કે જ્યારે ભારત અને ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય હતી તે સમયે વેપાર ધંધામાં તેજી જોવા મળી. પરંતુ હવે કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જેને લઈને રિટેલ વેપારીઓની સાથે સાથે હોલસેલ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.


મોટી વાત તો એ છે કે હાલના વાતાવરણના કારણે પતંગના ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે. કાચો માલ એટલે કે કાગળ અને સળીના ભાવ ભલે વધ્યા હોય પરંતુ ગયા વર્ષની સરખામણીએ એક કોડી પતંગની કિંમત ઓછી જોવા મળી રહી છે. કાગળના ભાવ ગયા વર્ષે 950 હતા જેની સામે આ વખતે 1250 તેમ છતાં પતંગના ભાવ નીચા જોવા મળી રહ્યા છે, ગયા વર્ષે 1 કોડી એટલે કે 20 પતંગ ના ભાવ રૂપિયા 80 થી 120 હતા, જે આ વર્ષે રૂપિયા 70 થી 100 રૂપિયા જોવા મળી રહ્યો છે. 


પતંગની વેરાઈટી ની વાત કરીએ તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુનોના જંગલમાં ખુલ્લા મુકેલ ચિત્તાની તસ્વીર વાળી પતંગો માર્કેટમાં જોવા મળી રહી છે. કોરોના મુક્ત વાતાવરણની સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવા લોકો ઉત્સાહિત થતા, પરંતુ હવે ફરીથી કોરોનાની ગાઈડલાઈન અને કોવિડ ફેલાવાની વાતોએ રિટેલ પતંગનો વેપાર કરતા રીટેલ વેપારી માલ ભરવો કે કેમ તેને લઈને અટવાયેલા જોવા મળી રહ્યા છે. 


મહેસાણામાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું નીચે પટકાતા મોત


કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. પેરાશૂટને દોરી વાગતા નીચે પટકાયેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેશ કરતા બિજનેસમેનના આમંત્રણ ઉપર કોરિયન નાગરિક આ ગામમાં આવ્યો હતો.