Ahmedabad News: અમદાવાદના રોડના ખાડા વધુ એક વખત મોતના ખાડા બન્યાં છે. અહીં નરોડા અરવિંદ મિલના ગેટ નજીક અકસ્માતમાં પંજાબની એક મહિલાનું કરૂણ મોત થયું છે. અરવિંદ મિલના ગેટ નજીક આયસર ટ્રકની અડફેટે આવતા એક 28 વર્ષીય પંજાબની મહિલાનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે, આ મહિલા પંજાબથી દર્શનાર્થે ગુજરાત આવી હતી. આઇસરની ટક્કર વાગવાથી મૃત્યું થયું છે. અરવિંદ મિલ પાસે રોડ પરના ખાડો અકસ્માતનું કારણ બન્યો છે. અહીં આયસર ટ્રક ખાડામાં ખાબકતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મહિલાને ગંભીર ઇજા થતાં મહિલાનું કમમાટીભર્યુ મોત થયું છે. ઉલ્લેખનિય છે કે આ મહિલા પંજાબના છે અને અમદાવાદમા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ ભદ્રકાળી મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે આયસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખાડા વધુ એક વખત જીવલેણ સાબિત થતાં રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અમદાવાદની પ્રજાને ચોમાસા બાદ રોડ-રસ્તાની ખરાબ હાલતને કારણે ભારે હાલાકીનો સામનો કરતી રહે છે. રોડ-રસ્તા પાછળ રૂપિયા 500 કરોડથી વધુનું બજેટ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડા પૂરવાના દાવા પોકળ સાબિત થતા રહે છે. અમદાવાદના આ એક વિસ્તારની સ્થિતિ નથી. અમદાવાદના શેલા, સાઉથ બોપલ, ચાંદખેડા, નિકોલ અને નરોડાના પણ અનેક રસ્તામાં મસમોટા ખાડા છે. જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માત થતાં રહે છે અને નિર્દોષ પ્રજા તેનો ભોગ બનતી રહે છે પરંતુ આવી દુર્ધટના જેમાં આખે આખી જિંદગી હોમાઇ જાય છે કોઇના પાપે કોઇનો જીવ જાય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું રૂંવાટુંય નથી ફરકતું અને સ્થિતિમાં ક્યારેય સુધારો નથી દેખાતો.
અમદાવાદના મીઠાખળી છ રસ્તા નજીક લિફ્ટમાં ફસાયો એક વ્યકિત
અમદાવાદની બીજી ઘટનાની વાત કરીએ તો અહીં ઉર્વશી એપાર્ટમેન્ટમાં ટુ હાઈટેડ લિફ્ટમાં પહેલા માળે વ્યકિત ફસાઇ ગયો હતો. પહેલા માળે અધવચ્ચે લિફટ અટકી જતાં ફાયર બ્રિગેડની ટીમને તાબડતોબ બોલાવાની ફરજ પડી હતી અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દિવાલ તોડી ફસાયેલા વ્યકિતને બહાર કાઢ્યો, દોઢ કલાકના અંતે ફસાયેલા વ્યકિતને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ 68 વર્ષીય પરેશભાઈનું રેસ્ક્યુ કરાતા એપાર્ટમેન્ટના સંચાલકો અને ફાયર ટીમ સહિતના હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો.