Crime News:અમદાવાદમાં લૂંટની ઘટના બની છે. અમદાવાદના આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે  હથિયાર સાથે 4 લૂંટારૂંએ લૂંટ ચલાવી હતી. ચારેય લૂંટારૂં મોબાઇલ અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા.  ગઇ મોડી રાત્રે લૂંટારુઓ લૂંટને અજામ આપ્યો. હથિયાર બતાવી રોકડ રકમ અને મોબાઈલ ની લુંટ ચલાવી હતી, જો કે આનંદનગરના બે પોલીસ કર્મીને જાણ થતા તાત્કાલિક  શેલ પેટ્રોલ પંપ પહોચ્યાં હતા અને પોલીસે 4 લુટારુ ને એક પીસ્ટલ સાથે ઝડપી પાડ્યા હતા. બંને પોલીસ કર્મી સક્રિયતાના કારણે  તાત્કાલિક આરોપીઓ ઝડપાય ગયા હતા.



 તો બીજી તરફ ભાવનગર શહેરમાં પૈસાની લેવડદેવડ મામલે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે, ઉછીના પૈસાની માંગણી કરતા એક યુવાન પર ત્રણ શખ્સોએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા, આ પછી યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને શહેરની સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.                                                                                        


મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરમાંથી વધુ એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં પૈસાની લેવડદેવડ મામલે એક યુવાનને ત્રણ સભ્યોએ છરીના ઘા મારીને ઘાયલ કરી દીધો છે. શહેરના વડવા તલાવડી વિસ્તારમાં અરવિંદભાઇ નામનો યુવક ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરવા આવ્યો હતો, આ દરમિયાન તેના પર પતિ, પત્ની અને અન્ય એકે, એમ કુલ ત્રણ વ્યક્તિઓએ મળીને છરી વડે હુમલો કર્યો હતો, આ ઘટનામાં ઉછીના રૂપિયા પરત લેવાના મામલે દીકરાની દાઝ તેના પિતા ઉપર છરીના ઘા મારીને ઉતારવામાં આવી હતી, પીડિત અરવિંદભાઇ વાઘેલાની હાલત ગંભીર થઇ જતાં તેમને શહેરની સિવિલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ પછી અરવિંદભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પતિ, પત્ની સહિત 3 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.