અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસનો સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15000 જેટલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, અલગ અલગ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર સંઘચાલક મોહન મોહન ભાગવતે કાર્યક્રમમાં સંબોધન કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનભરના પ્રયત્નોને યાદ કરાવ્યા. સાથે જ સમાજમાં કોઈ ભેદ વિના લોકો જીવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.


 



તેમણે સ્પષ્ટ કર્યું કે ગુલામીમાં અભિવ્યક્તિ કરી શકાતી નથી. આથી જ સ્વ ના તંત્ર ને મજબૂત કરવા માટે આપણે સૌ પ્રથમ ભારતીય છે તે ગુણને અપનાવીને જીવવું પડશે. તમામ દેશવાસીઓ સાથે સદભાવનાથી રહેવું પડશે અને સમર્થ હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે ભારતીયતાના મૂળ મંત્રને વધુ સુદ્રઢ કરવો પડશે. આંતરિક લડાઈઓથી ઉપર ઊઠીને દેશ પર આક્રમણ કરી રહેલી તાકાતો સામે લડવાનો સમય છે, ત્યારે એકતાની તાકાત ઓળખીને સૌ સાથે મળીને દેશને આગળ ધપાવવા માટે તમામ પડકારોને જીલીને આગળ વધીએ. હિન્દુ અને ભારતીય બે સમાનાર્થી શબ્દો જ છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું.


રાજ્યમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા, એક દર્દીનું મોત


ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. 


જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે ગીર સોમનાથમાં  1 મોત પણ થયું છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 142 કેસ નોંધાયા છે.  મહેસાણામાં 35  કેસ, વડોદરા 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 28 કેસ,  સુરત શહેરમાં 27 કેસ   નોંધાયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.   


મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા


મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે (14 એપ્રિલ) મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ નોંધાતા  રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે.  આ સંક્રમણના કારણે ચાર લોકોના મોત પણ થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે (13 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના 1086 નવા કોરોના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે (12 એપ્રિલ) રાજ્યમાં કોરોના સંક્રમણના 1,115 નવા કેસ નોંધાયા હતા.