અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ભાજપનાં ગીતાબા ચાવડાને હારેલાં જાહેર કરાયાના બે દિવસ પછી વિજેતા જાહેર કરાતાં લોટરી લાગી છે. અમદાવાદમાં વોર્ડ નંબર 14 કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી. ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ ચૂંટમી પંચમાં રજૂઆત કરી હકી રે, પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પાંચમા રજૂઆત કરી હતી કે નવમા રાઉન્ડની ગણતરી બાકી રહી ગઈ હોવાથી ભૂલ થઈ હતી. આ બાબતે ચૂંટણી પંચે બે દિવસમાં તપાસ કરીને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું સ્વીકારતાં તેમને ગુરૂવારે તેઓને મોડી રાતે વિજેતા જાહેર કરીને કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામા આવ્યું છે.


ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસની પેનલના વિજેતા ઉમેદવાર જગદીશ મોહનાનીને જીતેલા ઉમેદવારમાંથી હારેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે જ્યારે કોંગ્રેસની સંખ્યા ઘટીને 24, AIMIMની 7 અને અપક્ષની 1 બેઠક છે.

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલમાં ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર, કામિનીદેવી વિનોદકુમાર ઝા, નિકુલ કમલસિંહ તોમર,જગદીશ બુલચંદ મોહનાણીનો વિજય થયો હતો. ભાજપ દ્વારા મત ગણતરીમાં ભૂલ હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ થતાં આખરે ભાજપના ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે અને કોંગ્રેસના જગદીશ મોહનાનીને પરાજિત જાહેર કરવામા આવ્યાં છે.