G20 summit 2023: ગુજરાતમાં યોજાનારી G20ની મિટિંગનો આવતી કાલથી પ્રારંભ થશે.  ગુજરાતમાં G20ની 15 બેઠકો સમયાંતરે યોજાશે. આવતીકાલથી G 20ની પ્રથમ બેઠકનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી બિઝનેસ મિટિંગ યોજાશે. બિઝનેસ મિટિંગ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના અધ્યક્ષપદે યોજાશે. આ સંમેલનનને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.


કાર્યક્રમની રૂપરેખા


8થી 10 ફેબ્રુઆરીએ ધોરડો ખાતે ટુરિઝમ વર્કિંગની મિટિંગ યોજાશે.


9થી10 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે અર્બન ઇન્સપ્સન મિટિંગ યોજાશે.


13થી 14 માર્ચ સુરત ખાતે બિઝનેસ મિટિંગ યોજાશે. 


27થી 29 માર્ચ ગાંધીનગર ખાતે એન્વાયરમેંટ એન્ડ ક્લેમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટિંગ યોજાશે. 


30 માર્ચ અને 1લી એપ્રિલ ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.


2થી 4 એપ્રિલ ગાંધીનગર ખાતે એનર્જી વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.


29થી 30 મે અમદાવાદ ખાતે અર્બન સમિટ યોજાશે. 


19થી 21 જૂન એક્તનગર કેવડીયા ખાતે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.


21થી 23 જુલાઈ ગાંધીનગર ખાતે ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીસ મિટિંગ યોજાશે.


24થી 25 જુલાઈ ગાંધીનગર ખાતે ફાઈનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સ મિટિંગ યોજાશે.


2થી 3 ઓગસ્ટ ગાંધીનગર ખાતે હેલ્થ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.


4થી ઓગસ્ટે ગાંધીનગરમાં મિનિસ્ટર હેમલથ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.


9થી 11 ઓગસ્ટ ગાંધીનગર ખાતે સ્ત્રી સશકિતકરણ અંગે મીનીસ્ટર્સ મિટિંગ યોજાશે. 


29થી 30 સપ્ટેમ્બર ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.


સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ખોડલધામ


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ મંદિર પહોંચ્યા છે. થોડીવારમાં મુખ્યમંત્રી મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. આ ઉપરાંત રાજ્યના સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. ખેડૂત અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તમમે જણાવી દઈએ કે, કાગવડના ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઇ ઝાલાવડીયા પણ જોડાશે.. આજે નવા પ્રકલ્પો લેવામાં આવશે. રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.



ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત છે. નવા ટ્રસ્ટીમાં આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, નિરમા ગ્રુપના કરશન પટેલ,  કેડિલા ગ્રુપ સહિત 50 નવા ટ્રસ્ટીઓ જોડાશે. આ અંગે અનાર પટેલે કહ્યું કે, મારા માટે ગૌરવની વાત છે. ખોડલધામ એજ્યુકેશન માટે સૌથી વધુ કામ કરે છે. લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજી આંગણે રૂડો અવસર આવ્યો છે. રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધ્વજા રોહાણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત લોક ડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, સભા અને મહાપ્રસાદનું ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ હાજર છે. તો બીજી તરફ આજે ખોડલધામના નવા ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ખોડલધામના ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે. લેઉવા પાટીદાર સમાજના યુવાનોને ટ્રસ્ટી તરીકે સ્થાન મળ્યું છે.