| ક્રમ | ટ્રેન નંબર | દિવસ | સ્ટેશન | પ્રસ્થાન | આગમન |
| 1 | 02934/2933 | પ્રતિદિન | અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ | 04:55 | 21:25 |
| 2 | 02917/02918 | સોમ,બુધ,શુક્ર | અમદાવાદ-હજરત નિજ્જામુદ્દીન | 17:30 | 06:05 |
| 3 | 02957/02958 | પ્રતિદિન | અમદાવાદ-નવી દિલ્લી | 18:40 | 10:10 |
| 4 | 02915/02916 | પ્રતિદિન | અમદાવાદ- દિલ્લી જં. | 18:55 | 07:40 |
| 5 | 09165/09166 | બુધ,શુક્ર,રવિ | અમદાવાદ-દરભંગા | 21:00 | 03:25 |
| 6 | 09167/09168 | સોમ,મંગળ,ગરુ,શનિ | અમદાવાદ-વારાણસી | 21:00 | 03:25 |
| 7 | 02947/02948 | સોમ,બુધ | અમદાવાદ-પટના | 21:50 | 04:45 |
| 8 | 09083/09084 | પ્રતિદિન | અમદાવાદ-મૂજ્જફરપુર | 22:00 | 14:00 |
| 9 | 09089/09090 | પ્રતિદિન | અમદાવાદ-ગોરખપુર | 23:45 | 14:35 |
| 10 | 02833/02834 | પ્રતિદિન | અમદાવાદ-હાવડા | 00:15 | 13:25 |
આજથી અમદાવાદથી શરૂ થશે આ 10 ખાસ ટ્રેનો, જાણો સમય અને કઈ રીતે ટિકિટ લેશો ? ક્યાં સ્ટેશનો ઉભી રહેશે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jun 2020 10:11 AM (IST)
આજથી અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે.
અમદાવાદઃ આજથી સમગ્ર દેશમાં ટ્રેનો દોડતી થઈ જશે. શરૂઆતમાં 200 ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદથી પણ આજથી વિશેષ ટ્રેનો શરૂ થઈ જશે. અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે તેવી અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતીથી ઉપડતી ટ્રેન અમદાવાદથી ઉપડશે અને સાબરમતી ઉભી નહીં રહે. માટે તમામ પેસેન્જરોએ કાલુપુર રેલવે સ્ટેશને જવું પડશે. આજથી અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. એ જ રીતે અમદાવાદ - દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ - વારાણસી સાબરમતી એક્સપ્રેસની સાથે અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશને ઊભી નહીં રહે. માટે આ તમામ ટ્રેનમાં પ્રવાસ કરનાર પેસેન્જરોએ કાલુપુર રેલવે સ્ટેશને જવું પડશે. 1 જૂનથી અમદાવાદથી ઉપડનારી ટ્રેનની યાદી
01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલને 01 જૂનથી અમદાવાદ સ્ટેશનથી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે. જે પેસેન્જરોએ ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક SMS દ્વારા પણ આપવામાં આવી રહી છે. આ સિવાય વર્તમાનમાં સ્પેશિયલના રૂપમાં 01 જૂનથી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનોનું મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.