Ashaben Patel Died : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, પાર્થિવ દેહની અંતિમ વિધિ સિદ્ધપુરમાં કરાશે

Ashaben Patel Died : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

gujarati.abplive.com Last Updated: 12 Dec 2021 04:15 PM
પાર્થિવ દેહની અંતિમ વિધિ સિદ્ધપુરમાં

આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝાના સ્વપ્ન બંગ્લોઝ નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. સ્વપ્ન બંગ્લોઝથી મોડી સાંજે પાર્થિવ દેહને APMC ઉંઝા લઈ જવાશે. રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઉંઝા APMC ખાતે રાખવામા આવશે. બાદમાં આવતીકાલે સવારે ઉંઝા શહેરમાં અંતિમ યાત્રા યોજાશે. સવારે અંતિમ યાત્રા તેમના વતન વિશોળ ગામે જશે. વિશોળથી પાર્થિવ દેહને સિદ્ધપુર અંતિમધામ લઈ જવાશે. જે બાદ સિદ્ધપુરમાં સ્વ.આશાબેન પટેલનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થશે

પીએમ મોદીએ આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો

આશાબેનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ લખ્યું- ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥





રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

રાજકીય નેતાઓએ આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર કાનાની, દર્શના જરદોશ, પરષોત્તમ સાબરિયા, ભૂષણ ભટ્ટ, સીઆર પાટીલ, હર્ષ સંઘવી, અમિત શાહ, અર્જૂન મોઢવાડિયા, ઝંખના પટેલ, ઋષિકેશ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, ભરત પંડ્યા, શંકર ચૌધરી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.   

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ ટ્વીટ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશાબેનના નિધન પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો, લખ્યું- મધ્યાહને સુરજ આથમયો .....





મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો





સીઆર પાટીલે શોક વ્યક્ત કર્યો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો





આશાબેનને શનિવારે કરાયાં હતાં હોસ્પિટલાઇઝ

આશાબેન પટેલની તબિયત લથડ્યા બાદ તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં શનિવારે જ દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું હતું. 

સીઆર પાટીલે પહેલા જ કરી હતી સ્થિતિ સ્પષ્ટ 

આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે. 

ક્યાંથી લાગ્યો ડેન્ગ્યૂનો ચેપ

દિલ્હીના પ્રવાસ બાદ આશાબેન પટેલને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે શનિવારે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી હતી.

આશાબેનની રાજકીય કેરિયર

આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.

પ્રથમવાર કોંગ્રેસમાંથી બન્યા ધારાસભ્ય

પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયાં હતાં. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

ભાજપમાંથી બન્યા ધારાસભ્ય

2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં. કમનસીબે આશાબેન પોતાની પહેલી ટર્મનાં પાંચ વર્ષ પૂરી કરી શક્યાં નથી અને નિધન થયું છે. આશાબેનની વય માત્ર 44 વર્ષની હતી. 6 જાન્યુઆરી, 1977ના રોજ ઉંઝાના વિસોલ ગામે જન્મેલાં આશાબેને બહુ નાની વયે વિદાય લઈ લીધી છે.


 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, આશાબેન પટેલનુ ઝાયડસ  હૉસ્પીટલમાં નિધન થયુ છે. 

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ  ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું.  મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું હતું. આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.