કોર્પોરેશન દ્વારા સાબરમતી પરના બ્રિજ ખોલી નાંખવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ સંકલનના અભાવે આજે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે, તેમણે માધ્યમોમાં સમાચાર જોઇને બ્રિજ ખુલ્લી ગયો હોવાનું માની અહીં પહોંચી ગયા હતા. જોકે, બ્રિજ આગળ બેરિકેટ હોવાથી તેઓ અટવાઇ પડ્યા હતા.
પોલીસને ઉપરથી બ્રિજ ખુલ્લો મુકવાની સૂચના મળી ન હોવાથી હજુ સુધી બ્રિજ ખોલવામાં આવ્યો નથી. જેને કારણે લાંબા સમય સુધી લોકો અહીં અટવાઇ પડ્યા હતા.