અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની ફરીથી સત્તા આવતાં જ હવે કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. અમદાવાદ કોર્પોરેશનના નવા મેયર હિમાંશુ વાળા અથવા તો ચંદ્રકાંત ચૌહાણ બને તેવી શક્યતા છે. જોકે, મેયરનું નામ જાહેર થાય પછી જ ખબર પડશે કે, કોના પર કળશ ઢોળાય છે.
અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ ભાજપે સત્તા હાંસલ કરી છે. આ મનપામાં પણ કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.