અમદાવાદઃ ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન માટેની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અમદાવાદ કોર્પોરેશન ભાજપે 159 બેઠકો પર વિજય મેળવીને સત્તા હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 25 બેઠકોથી સંતોષ માનવો પડ્યા છે. જ્યારે ઓવૈસીની પાર્ટીને 7 અને એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.


અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની ફરીથી સત્તા આવતાં જ હવે કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. અમદાવાદ કોર્પોરેશનના નવા મેયર હિમાંશુ વાળા અથવા તો ચંદ્રકાંત ચૌહાણ બને તેવી શક્યતા છે. જોકે, મેયરનું નામ જાહેર થાય પછી જ ખબર પડશે કે, કોના પર કળશ ઢોળાય છે.

અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ ભાજપે સત્તા હાંસલ કરી છે. આ મનપામાં પણ કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.