અમદાવાદઃ આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની  ગાંધીનગર પોલીસે ગઈકાલે અટકાયત કરી છે.  વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયામાં યુવરાજસિંહના સમર્થનમાં લોકો આવ્યા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ #ReleaseYuvrajsinh, #iSupportYuvrajsinh, #HuPanYuvrajsinh લખીને તેમને સમર્થન આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, યુવરાજસિંહની ધરપકડ કરીને ભાજપ સરકાર આવનારી લોકરક્ષક અને બિનસચિવાલય પરીક્ષામાં પોતાના મળતીયાઓના સેટિંગ માટે મહાકૌભાંડ આચરવા જઈ રહી છે, યુવાનો જાગો હવે તો.






અન્ય એક યુઝર્સે લખ્યું, મોદીજી યુવરાજસિંહને મુક્ત કરો, નહીંતર અમે તમને વોટ નહીં આપીએ. અમે હંમેશા તમને ચાહીએ છીએ અને હવે આ તમારો સમય છે. અમારી એક જ આશા છે.  આ સાથે તેણે મોદી, અમિત શાહ, હર્ષ સંઘવીને પણ ટેગ કર્યા છે.






 
મહત્વનું છે કે યુવરાજસિંહ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે. સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે. ત્યારે ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી.  આ દરમિયાન  પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.