ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, ZyCoV-Dનું પહેલા તબક્કાના પરિક્ષણની સફળતા અમારા માટે અગત્યની છે. સલામતી માટે દવાનો ડોઝ અપાયા પછી બધા જ સબ્જેક્ટને 24 કલાક માટે ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં મોનિટર કરવામાં આવ્યા હતા. ઉપરાંત 7 દિવસ માટે તેઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા, જેમાં વેક્સિન સલામત હોવાનું સાબિત થયું હતું.
કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, ફેઝ-1ના સફળ પરિક્ષણ પછી હવે બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ આજથી એટલે કે 6 ઓગસ્ટથી શરુ કરાશે. ફેઝ-2માં કંપની ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરશે. વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે.
ટ્રાયલમાં વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાયરસનો સંપૂર્ણ સફાયો થવાનું અને આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સીન કેન્ડીકેટ ટોક્સીકોલોજી સ્ટડી દરમિયાન રીપીટ ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર અને ઈન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઉભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે.