આણંદઃ ખંભાતમાં આજે કોરોનાના વધુ સાત કેસ પોઝિટીવ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2020 09:29 AM (IST)
ખંભાતના આ તમામ દર્દીઓને આણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે
આણંદઃ આણંદ જિલ્લામાં વધુ સાત કોરોના વાયરસ પોઝિટીવ કેસ નોધાતા તંત્ર દોડતુ થયું હતું. આ સાથે આણંદ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 17 પર પહોંચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, આણંદના ખંભાતના એક જ વિસ્તારમાં સાત કેસ પોઝિટીવ નોંધાયા હતા. જેમાં પાંચ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આણંદમાં નોંધાયેલા 17 કોરોના પોઝિટીવ કેસમાંથી 12 કેસ ખંભાતના આલિંગ ચાર રસ્તા મોતીવાળાના છે. ખંભાતના આ તમામ દર્દીઓને આણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તમામની હાલત હાલમાં સ્થિર છે.