Aryan Khan Drugs Case: CBની SIT દ્વારા ગત રાત્રે 11.30 વાગ્યા સુધી આર્યન ખાનની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વસૂલાતના આરોપોની તપાસ કરી રહેલી એસઇટી એ અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે.


મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ગઈકાલે રાત્રે 11.30 વાગ્યા સુધી NCBની SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વસૂલાતના આરોપોની તપાસ કરી રહેલી એસઇટીએ  અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, ટીમ તપાસની ગતિ અને દિશાથી સંતુષ્ટ છે. જ્ઞાનેશ્વર સિંહ વિજિલન્સ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.


પ્રભાકર- સમીર વાનખેડેનું નિવેદન પણ નોંધાયું


જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, અમે 14-15 લોકોના નિવેદન નોંધ્યા છે. અમે વહેલી તકે તપાસ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ અમે કેટલાક મહત્વપૂર્ણ સાક્ષીઓના સામેલ થવાની રાહ છે. " NCB ટીમે સાક્ષીઓ પ્રભાકર સેલ અને NCBના વિભાગીય નિર્દેશક સમીર વાનખેડેના નિવેદનો પણ નોંધ્યા છે.


તપાસ માટે મહત્વપૂર્ણ તમામ લોકો સાથે વાત કરીશું- સિંહ


"અમે તપાસ પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા આપી શકતા નથી કારણ કે કેટલીક બાબતો અમારા હાથમાં નથી. લોકોને તપાસમાં જોડાવા દો." NCB ટીમ આર્યન અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દલાનીના નિવેદનો રેકોર્ડ કરશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સિંહે કહ્યું કે તે તપાસ માટે મહત્વપૂર્ણ તમામ લોકો સાથે વાત કરશે.


મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે સાથેની તેમની મુલાકાત અંગે તેમણે કહ્યું કે, નાગરાલેએ આ મામલે સહયોગનું વચન આપ્યું છે. "અમને કેટલાક CCTV ફૂટેજ મળ્યા છે. અમે કેટલાક વધુ ફૂટેજની રાહ જોઈ રહ્યા છીએ."


કોર્ટે ગયા મહિને તેની જામીન અરજીને મંજૂરી આપતાં તેમને દર શુક્રવારે NCB સમક્ષ હાજર થવા જણાવ્યું હતું કે, SIT આ એક સહિત ઓછામાં ઓછા છ કેસની તપાસ કરી રહી છે. 2 ઓક્ટોબરના રોજ, NCBએ મુંબઈના દરિયાકાંઠે એક ક્રૂઝ શિપ પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ડ્રગ્સ જપ્ત કરવાનો દાવો કર્યો હતો. દરોડા દરમિયાન આર્યન અને અન્ય કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.