Atal Bihari Vajpayee Birth Anniversary:અટલ બિહારી વાજપેયીને ગામડાઓ - ગરીબો અને ખેડૂતોની એટલી ચિંતા હતી કે જ્યારે 1998માં 13 મહિના માટે એનડીએ સરકાર બની ત્યારે પીએમ પદની સાથે તેમણે કૃષિ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી હતી.


Atal Bihari Vajpayee: જ્યારે લોકોએ અટલ બિહારી વાજપેયીને તેમના પિતાના ગામ આગ્રાના બટેશ્વર વિશે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે ખૂબ જ સરળતાથી કહ્યું કે આખો દેશ જ મારું ગામ છે. રાજનીતિમાં સાદગી, સરળતાના અને સહજતાના પ્રતિક એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આ જવાબ જ દર્શાવે છે કે તેઓ દેશના દરેક ગામ પ્રત્યે કેટલા ગંભીર હતા. અટલજીને ગામ, ગરીબ અને ખેડૂતો સાથે વિશેષ લગાવ હતો.


રાજનીતિ કરનારા તો ઘણા લોકો છે, પરંતુ એવા લોકો ખુબ જ ઓછા છે જેમણે શાસન નહીં, સુશાસન કર્યું હોઈ. જ્યારે પણ સુશાસન ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા જે વ્યક્તિ આપણા મગજમાં આવે છે તે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી છે અને તેઓ માનતા હતા કે "સ્વરાજને સૂરજમાં બદલીને ભારતમાં સુશાસન લાવવું શક્ય છે." આ માટે, તેમણે ગામડાઓની સુધારણા પર મહત્તમ ભાર આપ્યો.


ગ્રામીણ ભારતને આપી નવી ઊંચાઈ 


ગ્રામીણ ભારતને નવી ઊંચાઈઓ અપાવવામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણા ઐતિહાસિક પગલાં લીધા હતા જેણે ગ્રામીણ ભારતનું ચિત્ર બદલી નાખ્યું હતું. તેમણે ગ્રામીણ ભારત માટે ઘણી યોજનાઓ શરૂ કરી. ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને લઈને ઘણા અભૂતપૂર્વ નિર્ણયો લીધા. તેમણે ખેડૂતોની તરફેણમાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા.


વડાપ્રધાન પદની સાથે કૃષિ મંત્રાલય પણ સંભાળ્યું 


અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. સૌથી પહેલા 1996માં 13 દિવસ, પછી 1998માં 13 મહિના અને તે પછી 1999થી 2004 સુધીનો કાર્યકાળ પૂરો કર્યો. ગામના લોકો તેમની માટે લાગણી અનુભવતા હતા. તેઓ દેશના ખેડૂતો માટે ખૂબ જ સંવેદનશીલ હતા અને હંમેશા ખેડૂતો માટે કંઈક કરવા માંગતા હતા. તે એ વાત પરથી જાણી શકાય છે કે વડાપ્રધાન જેવી મોટી જવાબદારી લેવા છતાં તેમણે 13 મહિના સુધી કૃષિ મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું.


પ્રથમ વખત ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક


અટલ બિહારી વાજપેયી માનતા હતા કે દેશની સમૃદ્ધિનો માર્ગ ખેતરોમાંથી પસાર થાય છે. જ્યારે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થશે તો જ વિકાસની ગતિ ઝડપી થશે. આ માટે તેમણે પ્રથમ વખત ખેડૂતોની સરેરાશ આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ 15 ઓગસ્ટ, 2003ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે પહેલીવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી. જોકે, તેનું લક્ષ્ય તેને 2010 સુધીમાં પૂર્ણ કરવાનું હતું.


રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના પ્રથમ વખત શરૂ થઈ


પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ખેડૂતોને કુદરતી આફતોના જોખમમાંથી બચાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દેશમાં પ્રથમ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના પ્રથમ વખત તેમના વડા પ્રધાનપદ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજના 1999-2000ના રવિ પાકથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં આ એક મોટો નિર્ણય હતો. 


અટલ બિહારી વાજપેયીએ ભારતીય રાજનીતિને ન માત્ર નવા શિખરો પર પહોચાડી, પરંતુ વડાપ્રધાન પદ પર રહીને ભારતીય અર્થવ્યવસ્થાને તેની ટોચ પર લઈ જવાનો પાયો પણ નાખ્યો. તેમણે અર્થવ્યવસ્થાને મંદીના યુગમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધારી. તેમણે આર્થિક વિકાસના પર ભાર મૂક્યો હતો. તેમનું સમગ્ર જીવન ત્યાગ અને આદર્શની પ્રતિમાનું પ્રતિક હતું . તેમનું વ્યક્તિત્વ, ભાષણની શૈલી અને દેશભક્તિ, જેમણે દાયકાઓ સુધી તેમના ગતિશીલ વ્યક્તિત્વથી ભારતીય રાજકીય ઉજળું બનાવ્યું, તે ક્યારેય મરી શકશે નહીં. આવનારી પેઢીઓને અનેક સદીઓ સુધી રાજકારણના આ પ્રણેતા પાસેથી પ્રેરણા મળતી રહેશે.