Bank Strike: 30-31 જાન્યુઆરીએ યોજાનારી બેંક હડતાલ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ દિવસોમાં હડતાલ રહેશે કે સર્વિસ મળશે.જાણો


30 અને 31 જાન્યુઆરીની પ્રસ્તાવિત બેંક હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. આ હડતાળ પહેલા યોજાયેલી બેંક યુનિયનોની સમાધાન બેઠકમાં આ બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) એ મુંબઈમાં આયોજિત સમાધાનની બેઠકમાં સર્વસંમતિને પગલે 30-31 જાન્યુઆરીએ યોજાનારી બે દિવસની દેશવ્યાપી બેંક હડતાળને મુલતવી રાખી છે.


દેશવ્યાપી બેંક હડતાલ કેમ મોકૂફ રાખવામાં આવી?


બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશન (AIBEA) ના ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે માહિતી આપી છે કે, બેંક યુનિયનો પહેલા 31 જાન્યુઆરીએ તેમની માંગણીઓ પર ચર્ચા કરશે. વેંકટચલમના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) 31 જાન્યુઆરીએ યુનિયનો સાથે બેઠક યોજવા માટે સહમત થયા છે. શુક્રવારે મળેલી સમાધાનની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 31 જાન્યુઆરીએ પાંચ દિવસીય બેંકિંગ, પેન્શન અપડેટ અને જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાના ત્રણ સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અન્ય મુદ્દાઓ પર સંબંધિત સત્તાવાળાઓ અને મજૂર સંગઠનો સાથે અલગથી ચર્ચા કરવામાં આવશે.


જેમણે હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો


નોંધપાત્ર રીતે, યુએફબીયુ, ઘણા બેંક યુનિયનોના જૂથે અગાઉ તેમની વિવિધ માંગણીઓ માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. તેમના મતે, આ માંગણીઓ લાંબા સમયથી મંત્રાલય સમક્ષ મૂકવામાં આવી રહી છે અને તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


બેંક યુનિયનોની ઘણી ડિમાન્ડ પેન્ડિંગ


બેંક યુનિયનો પાસે 5-દિવસીય બેંકિંગ વર્કિંગ કલ્ચર, પેન્શનનું અપગ્રેડેશન, શેષ મુદ્દાઓ, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નાબૂદ કરવા, વેતન સુધારણા માટેની માંગણીઓના ચાર્ટર પર વાટાઘાટો તાત્કાલિક શરૂ કરવા અને તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી સહિતની અનેક માંગણીઓ છે.જેના પગલે  UFBU દ્વારા હડતાલનું એલાન કરાયું હતું.  


BBC Documentary: ડોક્યુમેન્ટરી પર બબાલ યથાવત, આજે મુંબઇમાં ટાટા ઇન્સ્ટૂટ્યૂટે સ્ક્રિનિંગનું કર્યું એલાન


BBC Documentary: બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન 24 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી


બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગને લઈને હોબાળો યથાવત છે.  દિલ્હી અને કોલકાતામાં સ્ક્રીનિંગના આગ્રહને લઈને થયેલા હોબાળા બાદ આજે એટલે કે શનિવારે મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)માં સ્ક્રીનિંગની જાહેરાત કરવામાં આવી છે. જો કે, સંસ્થા દ્વારા આને મંજૂરી આપવામાં આવી નથી.


ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જૂથ, પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફોરમ (PSF) એ કેમ્પસમાં BBC ડોક્યુમેન્ટ્રીને સ્ક્રીન કરવા માટે વહીવટીતંત્ર પાસે પરવાનગી માંગી હતી. TISS એ સ્ક્રીનિંગને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મંજૂરી ન મળી હોવા છતાં, ફોરમે શનિવારે (28 જાન્યુઆરી) સાંજે 7 વાગ્યે ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની જાહેરાત કરી છે. પીએસએફએ કહ્યું છે કે મેનેજમેન્ટના ઇનકાર છતાં અમે કેમ્પસમાં ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરીશું.


 TISS એ એડવાઈઝરી જારી કરી છે









 


ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS) એ ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવા સામે કડક વલણ અપનાવ્યું છે. TISS એ સંસ્થાની અંદર બીબીસી ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ ન કરવા અંગે એક એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઈન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ પ્રકારના સ્ક્રીનિંગ અને મેળાવડાની મંજૂરી નથી જે શૈક્ષણિક વાતાવરણને ખલેલ પહોંચાડે અને તેની શાંતિ અને સુમેળને જોખમમાં મૂકે છે.


એડવાઇઝરીમાં વધુમાં જણાવાયું છે કે, તે ધ્યાન પર આવ્યું છે કે વિદ્યાર્થીઓના કેટલાક જૂથો કેમ્પસમાં બીબીસી ડોક્યુમેન્ટરી બતાવવાની યોજના બનાવી રહ્યા છે જેણે દેશના કેટલાક ભાગોમાં અશાંતિ પેદા કરી છે. કેટલાક વિદ્યાર્થીઓ આ ડોક્યુમેન્ટરીનો વિરોધ કરવા માટે કેટલીક યુનિવર્સિટીઓમાં સભાઓનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. આ એડવાઈઝરીમાં વિદ્યાર્થીઓને આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.


વિદ્યાર્થી સંઘે નામંજૂર કર્યું


TISS વિદ્યાર્થી સંઘના પ્રમુખ પ્રતીક પરમે કોઈપણ પ્રકારની સ્ક્રીનિંગની યોજનાને નકારી કાઢી છે. પરમે કહ્યું કે તેમને સંસ્થા તરફથી સલાહ મળી છે, પરંતુ તેમની પાસે આવી કોઈ સ્ક્રીનિંગની કોઈ યોજના નથી. તેણે કહ્યું કે પીએસએફ નામની સંસ્થાએ આવી સ્ક્રીનિંગની જાહેરાત કરી છે, પરંતુ તે કોઈપણ રીતે તેનો ભાગ નથી.


ડોક્યુમેન્ટરીનો વિવાદ શું છે?


BBCની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ને લઈને દેશભરમાં વિવાદ શરૂ થઈ ગયો છે. આ સિરીઝ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે. નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે તેમ છતાં પણ  ઘણા રાજકીય પક્ષો અને સંગઠનોએ તેને પ્રસારિત કરવાના સમર્થનમાં ચે. હવે આ ડોક્યુમેન્ટરીને દેશની યુનિવર્સિટીઓમાં પણ પ્રસારિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આને લઈને દિલ્હી યુનિવર્સિટી, જામિયા અને જેએનયુ તેમજ કોલકાતાની એક યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો