Bhavnagar News:ભાવનગર નજીકના અધેવાડા ગામે અકસ્માતે પુત્રીઓ ટાંકામાં પડી જતાં માતા બચાવવા પડતાં  આખરે ત્રણેયના કરૂણ મોત નિપજ્યાં છે. એક દુર્ઘટનાના કારણે સમગ્ર પરિવાર ઉજડી ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યાં હતા અને  માતા બંને પુત્રીને ટાંકીની બહાર કાઢીને તાબડતોબ  હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ જિંદગી ન બચાવી શકાય. તબીબે માતા બંને પુત્રી એમ ત્રણેયને મૃત જાહેર કર્યાં. ઘટના ને પગલે નાના એવા અધેવાડા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. એક સાથે પરિવારમાંથી ત્રણ લોકોની ચિરવિદાયથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.


તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના પોલીસ સ્ટેશન નજીક  ટ્રક અને બાઇકના અકસ્માતમાંમ એક મહિલાનું મોત  નિપજ્યું છે. ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇકની  પાછળ બેઠેલી  મહિલાનું મોત થયું છે. ટ્રક ના પાછળ ના ટાયરમાં  મહિલા આવી જતાં મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેમું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક  જયાબેન દિલીપ સિંહ સોલંકી મૂળ ધામનિયાના રહેવાસી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ પણ  ઘટના સ્થળે દોડી આવી હતી.                                                                                                                                                       


આ પણ વાંચો 


Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઇને શું આવ્યા મોટા સમાચાર?


રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઈકોર્ટ લાલધુમ, પ્રશાસનને સાત દિવસનો સમય આપ્યો


નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ'


ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા, IDFએ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર