નવી દિલ્હી:  આધાર કાર્ડ  એક ખૂબ જ  મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના કારણે  તમારે આધારકાર્ડને અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે. આધાર સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. બેંક, નાણાકીય સેવાઓ, પાસપોર્ટ અને તમામ સરકારી સેવાઓ સહિત તમામ આવશ્યક કાર્યો માટે આધાર કાર્ડને ઓળખ કાર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. એટલા માટે તમારું આધાર અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે.


જો તમારા સરનામા અથવા ફોન નંબરમાં કોઈ ફેરફાર થાય છે, તો તમારે તેને તમારા આધાર કાર્ડમાં અપડેટ કરવું પડશે. એટલા માટે સરકાર પણ આધાર કાર્ડ ધારકોને સુરક્ષાના કારણોસર દર 10 વર્ષે આધાર પર તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની સલાહ આપે છે. આ ઓનલાઈન કરી શકાતું નથી, આ માટે આધાર કાર્ડ ધારકોએ આધાર સેવા કેન્દ્રોની મુલાકાત લેવી પડશે.


આધાર કાર્ડને અપડેટ કરવું


તમારે તમારા આધાર કાર્ડ પર સરનામાના ઓનલાઈન અપડેટ માટે 50 રૂપિયા ( GST સહિત) ચૂકવવા પડશે. આ  સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે UIDAI તમને કઈ સુવિધાઓ આપે છે. તમે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખી શકો છો.


UIDAI વેબસાઈટ નાગરિકોને તેમના આધાર કાર્ડ પરનું સરનામું યોગ્ય દસ્તાવેજ અપડેટ સાથે બદલવાની મંજૂરી આપે છે. આ માટે નાગરિકોને માન્ય એડ્રેસ પ્રૂફ અથવા એડ્રેસ વેરિફિકેશન લેટરની જરૂર પડશે. આ દસ્તાવેજો આધાર પર તમારું સરનામું ઑનલાઇન અપડેટ/બદલવા માટે ફરજિયાત છે. 



  • તમે આધારમાં કરેલા કોઈપણ અપડેટ/ફેરફારનું સ્ટેટસ ચેક કરી શકો છો. આમાં આધાર સેવા કેન્દ્રમાં થયેલા ફેરફારો/અપડેટનો પણ સમાવેશ થાય છે.

  • તમે તમારા આધારમાં કરેલા અપડેટ્સની વિગતો પણ જોઈ શકો છો. આ 'આધાર અપડેટ હિસ્ટ્રી'માં કરી શકાય છે.

  • યુઝર્સ આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકે છે.

  • તમે નજીકના આધાર સેવા કેન્દ્રને શોધી શકો છો.

  • તમે આધાર સેવા કેન્દ્ર માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.

  • તમે તમારા આધાર કાર્ડની માન્યતા ચકાસી શકો છો.

  • તમારા આધાર અથવા તેના દુરુપયોગ અંગે ફરિયાદ કરી શકો છો.

  • તમે m-Aadhaar વેબસાઈટ પરથી તમારું ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. ભારતમાં સ્માર્ટફોન ધરાવનાર કોઈપણ વ્યક્તિ mAadhaar એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.

  • આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગરના લોકો માત્ર થોડી જ સેવાઓ મેળવી શકશે, જેમ કે આધાર રિપ્રિન્ટનો ઓર્ડર આપવો, એનરોલમેન્ટ સેન્ટર શોધવું, આધારની ચકાસણી કરવી, QR કોડ સ્કેન કરવી વગેરે.

  • mAadhaar માં પ્રોફાઇલ બનાવવા અને તેનો ડિજિટલ ઓળખ તરીકે ઉપયોગ કરવા અને અન્ય તમામ આધાર સેવાઓનો લાભ લેવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ફરજિયાત છે, જેમાં mAadhaar હેઠળ નોંધાયેલ મોબાઇલ નંબર જરૂરી છે. MAadhaar માં પ્રોફાઇલ બનાવવા માટે જ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP મોકલવામાં આવશે.

  • તમે તમારો ઈ-આધાર પાસવર્ડ બદલી શકો છો.    


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial