60 વર્ષની વયે નિવૃત્તિ લીધા પછી કંઈ કર્યા વિના એવું જ જીવન જીવવા માંગો છો, તો તે સમયે તમને આજની સરખામણીમાં 3-4 ગણા પૈસાની જરૂર પડશે. એટલે કે નિવૃત્તિ પછી તમારે દર મહિને આશરે રૂપિયા 2 લાખ રુપિયાની જરૂર પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે તમારે કેટલા પૈસાનું રોકાણ કરવું જોઈએ જેથી તમને નિવૃત્તિ પર દર મહિને 2 લાખ રૂપિયાનું પેન્શન મળી શકે.


નિવૃત્ત થશો ત્યારે તમારી પાસે બે વિકલ્પો હશે. તમે તમારા બધા પૈસા વાર્ષિકી યોજનામાં રોકાણ કરો અને તેમાંથી પેન્શન લેવાનું શરૂ કરો. અથવા 60 ટકા રકમ ઉપાડી લો અને બાકીના 40 ટકા સાથે વાર્ષિકી યોજના બનાવો.  નિવૃત્તિ પર NPSના ઓછામાં ઓછા 40 ટકા વાર્ષિકી પ્લાનમાં રોકાણ કરવું પડશે. અમે ધારીએ છીએ કે તમે તમારા સમગ્ર ભંડોળને વાર્ષિકી યોજનામાં રોકાણ કરો અને તેના પર પેન્શન મેળવો. આવી સ્થિતિમાં તમારે કેટલા કોર્પસની જરૂર પડશે અને તમારે તેના માટે દર મહિને કેટલા પૈસા રોકાણ કરવાની જરૂર છે.


જો આપણે વર્તમાન FDના દરો જોઈએ તો તે 6-7 ટકાની આસપાસ રહે છે.  ધારીએ છીએ કે જ્યારે તમે નિવૃત્ત થશો ત્યારે તમને ઓછામાં ઓછું 5 ટકા વ્યાજ મળશે અને જો તમને વધુ વ્યાજ મળશે તો તમને વધુ લાભ મળશે. 


આવી સ્થિતિમાં, જો તમને દર મહિને 2 લાખ રૂપિયાની જરૂર હોય તો તમારે વાર્ષિક 24 લાખ રૂપિયાના વ્યાજની જરૂર પડશે. જો તમને 5 ટકાના દરે 24 લાખ રૂપિયાનું વ્યાજ જોઈએ છે, તો તેના માટે તમારી પાસે લગભગ 5 કરોડ રૂપિયાનું ભંડોળ હોવું જોઈએ. આ સાથે તમને વાર્ષિક 5 ટકાના દરે લગભગ 25 લાખ રૂપિયાનું વ્યાજ મળશે.


જો તમે હાલમાં 30 વર્ષના છો અને નિવૃત્તિ પર રૂપિયા 5 કરોડનું ભંડોળ બનાવવા માંગો છો, તો તમારે પહેલા સમજવું પડશે કે તમને કેટલું વ્યાજ મળી શકે છે. 


NPS પર સરેરાશ 10 ટકા વ્યાજ સરળતાથી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, જો તમે NPSમાં દર મહિને લગભગ 22,150 રૂપિયાનું રોકાણ કરો છો, તો 30 વર્ષમાં તમારા પૈસા વાર્ષિક 10 ટકા વ્યાજના દરે લગભગ 5 કરોડ રૂપિયા થઈ જશે. આ 30 વર્ષમાં તમારું કુલ રોકાણ લગભગ 79.74 લાખ રૂપિયા હશે. તમને તેના પર લગભગ 4.21 કરોડ રૂપિયાનું વ્યાજ મળશે.