Aadhaar Card Rules: આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા UIDAI અનુસાર, એક મોબાઈલ નંબર સાથે કેટલા આધાર કાર્ડ લિંક કરી શકાય છે તેની માહિતી આપી રહ્યા છીએ. આજકાલના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેની જરૂરિયાત સરકારી અને બિન-સરકારી હેતુઓ માટે જરૂરી છે. કોઈપણ યોજનાનો લાભ મેળવવાથી લઈને બેન્ક ખાતું ખોલાવવા સુધીના કાર્યો માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ છે.

Continues below advertisement

આવી સ્થિતિમાં આ 12 અંકનો યુનિક નંબર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક નાગરિકનું નામ, લિંગ, સરનામું અને બાયોમેટ્રિક માહિતી આધાર નંબરમાં નોંધવામાં આવે છે. આધારમાં દાખલ કરેલી માહિતીને કારણે, સલાહ આપવામાં આવે છે કે આ યુનિક નંબરને કોઈની સાથે શેર ન કરો જેથી તમે છેતરપિંડીથી સુરક્ષિત રહો.

આ સાથે UIDAI નાગરિકોને તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાની સલાહ પણ આપે છે. આ સાથે તમે આધાર સંબંધિત કોઈપણ ફેરફારો કરવા માટે OTP મેળવી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે એક આધાર સાથે કેટલા મોબાઈલ નંબર લિંક કરી શકાય છે? UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે ઈચ્છો તેટલા આધાર નંબર એક મોબાઈલ સાથે લિંક કરી શકો છો. આ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરંતુ, UIDAI ભલામણ કરે છે કે આધાર યુઝર્સ હંમેશા તેમના મોબાઇલ નંબર સાથે આધાર લિંક કરે.

Continues below advertisement

UIDAIનું પગલું લાખો લોકો માટે રાહત છે

UIDAI એ આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભર્યું છે. એક્સ પર જાહેર કરાયેલા પોસ્ટ UIDAIએ કહ્યું, "આધાર અપડેટની મફત સેવા 14 જૂન, 2025 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સુવિધા ફક્ત myAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ છે."

14 જૂન, 2025 સુધી મફતમાં અપડેટ કરો

જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ માહિતી બદલવા માંગો છો, તો તમને હવે 14 જૂન, 2025 સુધી મફતમાં અપડેટ કરાવવાની તક મળશે. તે પછી તમારે આધાર અપડેટ માટે ફી ચૂકવવી પડશે. આ નિર્ણયથી લાખો આધાર ધારકોને રાહત મળી છે, ખાસ કરીને જેમની પાસે સમય ઓછો હતો.

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?