Air India: દેશની ટોચની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હાથમાં ગયા બાદ તેના નવા અપડેટ્સ સતત બહાર આવતા રહે છે. હવે એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે  જે આ એરલાઈનને નવી ઊંચાઈ પર લઈ જવાની વ્યૂહરચના બનાવે છે. તેમની ક્ષમતા વધારવા માટે એર ઈન્ડિયા તેના હાલના કાફલામાં 25 નેરો બોડી એરબસ અને 5 બોઈંગ વાઈડ બૉડી એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે. તેનાથી એર ઈન્ડિયાના કાફલામાં 25 ટકાનો વધારો થશે.


વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયાના કાફલામાં 30 નવા એરક્રાફ્ટ ઉમેરાશે


એર ઇન્ડિયાએ 25 એરબસ નેરો-બોડી અને 5 બોઇંગ વાઇડ-બોડી એરક્રાફ્ટ માટે લીઝ અને લેટર ઓફ ઇન્ટેટ પર હસ્તાક્ષર કર્યા છે, જે 2022 ના અંત સુધીમાં સેવામાં આવશે. ટાટા જૂથ દ્વારા આ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાને હસ્તગત કર્યા પછી આ નવા એરક્રાફ્ટ હવે કાફલાનું વિસ્તરણ કરશે. લીઝ પર આપવામાં આવેલ એરક્રાફ્ટમાં 21 એરબસ A320 નિયોન, ચાર A321 નિયૉન અને પાંચ બોઇંગ B 777-200એલઆરનો સમાવેશ થાય છે.


એર ઈન્ડિયાના નવા એરક્રાફ્ટ આ રૂટ પર દોડશે


એરલાઈન અનુસાર, B777-200LR ડિસેમ્બર 2022 અને માર્ચ 2023 વચ્ચે ફ્લીટમાં જોડાશે અને ભારતીય શહેરોમાંથી યુએસ ફ્લાઈટ્સ માટે તૈનાત કરવામાં આવશે. મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો તેમજ ન્યૂયોર્ક વિસ્તારના બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નેવાર્ક લિબર્ટી અને જ્હોન એફ કેનેડી માટે ફ્લાઈટ્સ હશે, જ્યારે બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો માટે અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઈટ હશે. આ વિમાનો સાથે એર ઈન્ડિયા પ્રથમ વખત પ્રીમિયમ ઈકોનોમી ફ્લાઈટ્સ ઓફર કરશે.


કાફલાના વિસ્તરણ પર એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે લાંબા સમય પછી એર ઈન્ડિયા તેના કાફલાના વિસ્તરણને ફરીથી શરૂ કરીને ખૂબ જ ખુશ છે. આ નવા એરક્રાફ્ટ હાલના એરક્રાફ્ટની સાથે ફરી સેવામાં વધુ ક્ષમતા અને કનેક્ટિવિટીની તાકીદની જરૂરિયાતને પૂરી કરશે.


એર ઈન્ડિયાના નેરો-બોડી ફ્લીટમાં હાલમાં 70 વિમાનનો સમાવેશ થાય છે, જેમાંથી 54 કાર્યરત છે અને બાકીના 16 એરક્રાફ્ટ 2023ની શરૂઆતમાં સેવામાં પાછા આવશે. એર ઈન્ડિયાના વાઈડ-બોડી ફ્લીટમાં હાલમાં 43 એરક્રાફ્ટ છે, જેમાંથી 33 કાર્યરત છે. બાકીના 2023 ની શરૂઆતમાં સેવામાં આવશે.