અમેઝોને ફરી એકવાર છટણીની જાહેરાત કરી છે. તેની છટણીની નવી જાહેરાતથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ટેક જાયન્ટે પુષ્ટી કરી હતી કે તે આ વર્ષે 14,000 કોર્પોરેટ નોકરીઓ દૂર કરશે, જે તેના 350,000 વ્હાઇટ-કોલર વર્કફોર્સમાંથી લગભગ 4 ટકા છે. આ એઆઈના યુગમાં સંપૂર્ણ પરિવર્તન માટે અમેઝોનની તૈયારીને કારણે છે.

Continues below advertisement

ભારતમાં કેટલા લોકોની જશે નોકરી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેઝોન વૈશ્વિક સ્તરે જે 14,000 લોકોની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે તેમાંથી ભારતમાં 800-1,000 કોર્પોરેટ કર્મચારીઓને છટણી કરવામાં આવી શકે છે. નોકરીમાં કાપની આ સંખ્યા વધુ વધી શકે છે.

Continues below advertisement

કંપની ઝડપથી એઆઈ અપનાવી રહી છે અને તમામ વ્યવસાયોમાં ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં ફાયનાન્સ, માર્કેટિંગ, માનવ સંસાધન અને ટેકનોલોજી જેવા વિભાગોમાં કામ કરતા લોકોને અસર થઈ શકે છે. આ નોકરીમાં કાપ મોટાભાગે અમેઝોનની વૈશ્વિક ટીમોને રિપોર્ટ કરનારાઓને અસર કરશે.

વધતા ખર્ચ અને ધીમી વૃદ્ધિ

કંપનીના અધિકારીઓ આ છટણીઓને વ્યૂહાત્મક પુનર્ગઠન તરીકે વર્ણવી રહ્યા છે, મંદીના સંકેત તરીકે નહીં, પરંતુ ડિજિટલ પરિવર્તન તરીકે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે અમેઝોન કેટલાક રિટેલ સેગમેન્ટમાં વધતા ઓપરેટિંગ ખર્ચ અને ધીમી વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે.

આ સેગમેન્ટમાં નોકરીની તકો ઉભી થશે

CEO એન્ડી જેસી અને સિનિયર VP બેથ ગેલેટીએ જણાવ્યું હતું કે AI અમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન લાવી રહ્યું છે. તેઓએ તેને ઇન્ટરનેટ પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવ્યો. કંપનીએ કહ્યું કે તે AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને રોબોટિક્સ ભૂમિકાઓ માટે ભરતી ચાલુ રાખશે.

30,000 નોકરીઓ પર અસર

નિષ્ણાતોનો અંદાજ છે કે જેમ જેમ અમેઝોન અદ્યતન AI સિસ્ટમ્સ મારફતે તેના વૈશ્વિક કામગીરીને વધુ સ્વચાલિત કરશે, તેમ તેમ 30,000 સુધીની નોકરીઓ પર અસર પડી શકે છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ, એન્ડી જેસીએ ગયા વર્ષે એક નોંધમાં પીરે ઓર્ગેનાઇઝેશનમાં સ્તરો ઘટાડવા, માલિકી વધારવા અને અમલદારશાહી ઘટાડવા માટે હાકલ કરી હતી. આ પછી છટણી હવે ચાલી રહી છે. આ છટણીઓ છતાં બ્રોકરેજ કંપનીઓ અને વિશ્લેષકો તેના સ્ટોક અને લાંબા ગાળાના વિકાસ અંગે સકારાત્મક રહે છે.