અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in | 27 Nov 2019 09:14 AM (IST)
રિલાયન્સ નેવલના શેરના ભાવમાં 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો
મુંબઈ: અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ નેવલના શેરના ભાવમાં 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધી એક પણ દિવસ એવો રહ્યો નથી જેમાં રિલાયન્સ નેવલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હોય. રિલાયન્સ નેવલનો શેર 95 પૈસાથી સતત વધી રહ્યો છે અને તેનો ભાવ 7.31 રૂપિયા થઈ ગયો છે. 2009માં રિલાયન્સ નેવલના શેરોનું લિસ્ટિંગ થયા બાદ તેના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે. જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, શેરના ભાવમાં જોવા મળેલો ઉછાળો માત્ર અટકળો આધારિત છે અને કંપનીના ફન્ડામેન્ટલમાં કોઇ ફેરફાર થયો નથી. કંપનીમાં સૃથાપિત હિતો ધરાવતા ઓપરેટરો દ્વારા આ શેર ચલાવવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે કંપનીનો સંપર્ક સાધી શકાયો નથી અને કંપની દ્વારા એવી કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી કે જેના કારણે કંપનીના શેરના ભાવમાં મોટા પાયે ઉછાળો જોવા મળે. આ દરમિયાન બેંકરપ્સી ટ્રિબ્યુનલ રિલાયન્સ નેવલને બેંકરપ્સીમાં મૂકવાનું વિચારી રહ્યું છે કારણકે આઈડીબીઆઈ બેંકના નેતૃત્ત્વવાળા લેણદારોએ કંપનીનું દેવું રિસ્ટ્રક્ચર નહીં કરવાનો નિર્ણય લીધો છે.