આદિ ગોદરેજની પત્ની પરમેશ્વર ગોદરેજનું ફેફ્સાની બીમારીને કારણે નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2016 02:45 PM (IST)
મુંબઈઃ ભારતના જાણીતા બિઝનેસમેન અને ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજના પત્ની પરમેશ્વર ગોદરેજનું સોમવારે રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. પરમેશ્વર ગોદરેજ એક ઈન્ડિયન સોશિયલાઈટની સાથે-સાથે ફિલેન્થ્રોફિસ્ટ અને ફેશન આઈકન હતા. તેમની ઉંમર 70 વર્ષની હતી. છેલ્લા ઘણા સમયથી તે ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યાં હતા. પાંચ વર્ષ અગાઉ જ પરમેશ્વરને ફેફસાની બીમારી હોવાનું જણાવા મળ્યું હતું અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો અગાઉ જ તેમને ઈન્ફેકશન લાગ્યું હતું. ડોકટરો આ ઈન્ફેકશનને ન્યુમોનિયા હોવાનું કહી રહ્યાં હતા.