2000 Currency Notes : ભારતીય રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી હેઠળ રૂ. 2000ની નોટો પાછી ખેંચવા માટે એક પરિપત્ર જારી કર્યો છે. આ અંતર્ગત બેંક બજારમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેશે અને સપ્ટેમ્બર 2023 પછી આ નોટો બંધ થઈ જશે. RBIએ નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023ની તારીખ નક્કી કરી છે. આ સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોએ ગભરાવું નહીં. આ નોટો પહેલાની જેમ જ બજારમાં ચાલશે અને માન્ય રહેશે, પરંતુ તમે નિયત તારીખ પહેલા બેંકમાં જઈને બદલી કરાવી શકો છો.


શું 500 રૂપિયાની નોટ સૌથી મોટી હશે?


હવે સવાલ એ છે કે, શું હવે 500 રૂપિયાની નોટ સૌથી મોટી હશે? જો આપણે ભારતીય રૂપિયાની સિસ્ટમ પર નજર કરીએ તો, 2000 રૂપિયાની નોટ આપણી નોટ સિસ્ટમમાં સૌથી મોટી કરન્સી હતી. આછા ગુલાબી રંગની આ નોટ 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી પછી રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી. કરન્સી સિસ્ટમમાં આ સૌથી મોટો ફેરફાર હતો, કારણ કે આ પહેલા 1000 રૂપિયાની કરન્સી સૌથી મોટી ચલણમાં હતી. જ્યારે પીએમ મોદીએ નોટબંધી કરી ત્યારે તેમણે રૂ.500 અને રૂ.1000ની જૂની ચલણી નોટો બંધ કરી દીધી હતી.


500ની નોટ નવા રંગમાં પરત કરવામાં આવી હતી


જો કે ત્યાર બાદ 500 રૂપિયાની નોટ નવા સ્વરૂપમાં પાછી આવી હતી, પરંતુ તેની કિંમતની બમણી કરન્સીએ 1000 રૂપિયાની નોટનું સ્થાન લઈ લીધું હતું. હવે જ્યારે RBIએ શુક્રવારના રોજ ક્લીન નોટ પોલિસી હેઠળ રૂ. 2000ની નોટ પરત કરવાની જાહેરાત કરી છે, ત્યારે હવે માત્ર રૂ. 500ની નોટ જ કરન્સી સિસ્ટમમાં સૌથી મોટી રહી છે.


શું રૂ. 1000નું ચલણ પાછુ આવશે?


RBIએ 2000 રૂપિયાની કરન્સી પાછી ખેંચી લીધી છે, પરંતુ હવે સવાલ એ છે કે, શું 1000 રૂપિયાની ચલણ ફરીથી ચાલુ થશે? વાસ્તવમાં 1000 રૂપિયાનું ચલણ મોટા વ્યવહારો, બજારમાં ખરીદી વગેરે માટે યોગ્ય હતું. પછી જ્યારે તે બંધ થઈ ત્યારે 2000 રૂપિયાની નોટે મોટી કરન્સીનું સ્થાન લઈ લીધું, પરંતુ ઘણા દિવસોથી લોકોમાં આ નવી કરન્સીને લઈને મૂંઝવણ હતી. ભારતીય જનતા અને મધ્યમ વર્ગના લોકોની વિચારસરણી સાથે પણ સંબંધિત છે. ભારતીયો હંમેશા બચત બાબતે સાવધ રહ્યા છે. 2000 રૂપિયાની વાત કરીએ તો લોકો વિચારી રહ્યા છે કે, આ મોટી નોટ છૂટક વેચાય તો બે હજારની મોટી રકમ ખર્ચવાની શક્યતા વધી જાય છે. 1000 રૂપિયાની નોટ સાથે આ નાણાકીય જોખમ ઘટીને અડધુ થઈ જાય છે.


1000 રૂપિયાની નોટો ફરી પાછી આવે તો નવાઈ નહીં: પી. ચિદમ્બરમ


1000 રૂપિયાની નોટ પરત કરવા સંબંધિત નિવેદન પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'અપેક્ષા મુજબ, સરકાર/આરબીઆઈએ રૂ. 2000ની નોટો પાછી ખેંચી લીધી છે અને નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ભાગ્યે જ રૂ. 2000ની નોટ વ્યવહારનું લોકપ્રિય માધ્યમ છે. અમે નવેમ્બર 2016માં આ કહ્યું હતું અને અમે સાચા સાબિત થયા છીએ. રૂ. 500 અને રૂ. 1000 ના નોટબંધીના મૂર્ખ નિર્ણયને આવરી લેવા માટે રૂ. 2000ની નોટ એક બેન્ડ-એઇડ હતી. આ બંને નોટો વ્યવહારો માટે લોકપ્રિય અને વ્યાપકપણે જાણીતી કરન્સી હતી.


નોટબંધીના થોડા અઠવાડિયા પછી, સરકાર/આરબીઆઈને રૂ. 500ની નોટ ફરીથી દાખલ કરવાની ફરજ પડી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે, જો સરકાર/આરબીઆઈ રૂ. 1000ની નોટ પણ ફરીથી રજૂ કરે તો મને આશ્ચર્ય થશે નહીં. તેમણે કહ્યું હતું કે, નોટબંધીનો યુગ આવી ગયો છે.


ધીમે ધીમે નોટો પાછી ખેંચવામાં આવશે


રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર હવે 2 હજારની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને રિઝર્વ બેન્ક ધીમે-ધીમે આ નોટો પાછી ખેંચી લેશે. સામાન્ય લોકો પોતાની પાસે રાખેલી 2-2 હજારની નોટ 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંકમાં જમા કરાવી શકે છે. આ સાથે, સામાન્ય લોકોને અગાઉના નોટબંધીની જેમ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેઓ હવે પણ તેમની પાસે રાખવામાં આવેલી 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકશે. આરબીઆઈએ દેશની બેંકોને 2000 રૂપિયાની નોટ લોન્ચ કરવાની સલાહ આપી છે. પરંતુ હવે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.