આરબીઆઈએ તમામ બેંકોને પાસબુકના છેલ્લા પેજ પર ગીતાનો સાર છાપવાનો આદેશ આપ્યો ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Dec 2020 02:53 PM (IST)
સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇ ખબર વાયરલ થતી હોય છે. આવી જ એક ખબરમાં હાલ વાયરલ થઈ રહી છે. જેમાં તમામ બેંકોને પાસબુકના છેલ્લા પેજ પર ગીતાનો સાર છાપવાનો આદેશ આપ્યો છે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇ ખબર વાયરલ થતી હોય છે. આવી જ એક ખબરમાં હાલ વાયરલ થઈ રહી છે. જેમાં તમામ બેંકોને પાસબુકના છેલ્લા પેજ પર ગીતાનો સાર છાપવાનો આદેશ આપ્યો છે. વાયરલ મેસેજ મુજબ, આરબીઆઈએ તમામ બેંકોને પાસબુકના છેલ્લા પેજ પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે. આરબીઆઈએ બેંકોને આવો કોઈ નિર્દેશ આપ્યો નથી. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો. કોરોનાના કારણે નવા વર્ષનો જશ્ન પડી શકે છે ફિક્કો, જાણો અત્યાર સુધીમાં કયા કયા રાજ્યોએ લગાવ્યા પ્રતિબંધ IND v AUS: સ્ટીવ સ્મિથે શમીના રિપ્લેસમેન્ટ તરીકે કયા બે બોલરને ગણાવ્યા બેસ્ટ, જાણો વિગત