PIB Fact Check: વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયાનું ભથ્થું આપશે. વાયરલ થયેલા મેસેજ મુજબ પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના હેઠળ બેરોજગાર યુવાનોને માસિક ભથ્થું આપવામાં આવશે. જો કે, એ નોંધવું જોઈએ કે વાયરલ મેસેજ નકલી છે. પીઆઈબીના ફેક્ટ ચેક મુજબ ભારત સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા પણ વિનંતી કરી છે.


PIBએ તેના ટ્વિટમાં કહ્યું છે કે, 'વાઈરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના હેઠળ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને ₹6,000નું ભથ્થું આપી રહી છે. આ મેસેજ નકલી છે (ફેક વાયરલ મેસેજ) ). ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો.


PIBના બેરોજગાર ભથ્થા અંગેના આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું' યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, દરેક બેરોજગાર યુવાનોના ખાતામાં દર મહિને 6,000 રૂપિયા જમા કરવામાં આવશે. જો તમને આ મેસેજ સોશિયલ મીડિયા દ્વારા અથવા મેસેજ અથવા ઈમેલ દ્વારા મળી રહ્યો છે.






તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. જો કોઈ તમને આવા મેસેજ મોકલી રહ્યું છે તો સાવધાન થઈ જાવ. આ મેસેજ સાયબર ક્રાઈમ કરનારા લોકો મોકલી શકે છે. આવા મેસેજનો જવાબ આપવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમારે આવા સંદેશાઓ ફોરવર્ડ કરવાનું ટાળવું જોઈએ.


PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.