GST:દેશમાં એક સમાન વસ્તુ તેમજ સેવા શુલ્ક   ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેની ગૂંચવણો ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને વિવાદો સામે આવતા રહે છે. રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ આવું જ છે.


જો  આપને હવે  પરાઠા ખાવા હોય તો તમારે 18 ટકા GST ચૂકવવો પડશે, પરંતુ જો તમારે ચપાતી ખાવી હોય તો સસ્તી પડશે. ચાપાતી પર માત્ર પાંચ ટકા ટેક્સ લાગશે.


દેશમાં એક સમાન વસ્તુ તેમજ સેવા શુલ્ક   ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેની જટિલતાઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને વિવાદો સામે આવતા રહે છે. રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ આવું જ છે.


જો તમારે પરાઠા (ફ્રોઝન) ખાવા હોય તો તેના પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે, જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. ભૂતકાળમાં પણ ફ્રોઝન રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ છે, તેથી તેના પર સમાન જીએસટી લાગુ થવી જોઈએ. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે તે 8 પ્રકારના પરાઠા બનાવે છે. આમાં મુખ્યત્વે લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મલબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિક્સ વેજિટેબલ પરાઠામાં 36 ટકા છે.


પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે રોટલી રેડી ટૂ ઇટ  છે, જ્યારે કંપનીના પરાઠા રેડી ટૂ કૂક છે. ટેક્સ પ્રાધિકરણનું સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વગર રોટલી કે ચપાતી પણ ખાઈ શકો છો, પરંતુ તેના વગર પરાઠા બનતા નથી, કારણ કે ઘી  મખ્ખન પરાઠા એક રીતે લક્ઝરીની શ્રેણીમાં આવે છે, તેથી તેના પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.