કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલય આ સપ્તાહે આ અંગે નોટિફિકેશન જાહેર કરી શકે છે. જોકે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં હૉલમાર્કિંગ લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી જ્વલેરી ઉદ્યોગ પર મોટી અસર જોવા મળશે. પણ ગ્રાહકોને તેનાથી ફાયદો પણ થશે. અત્યારે માત્ર 40 ટકા દાગીનાને જ હૉલમાર્કિંગ કરવામાં આવે છે.
ભારત સૌથી વધુ સોનું ઈમ્પોર્ટ કરતો દેશ છે, જે મુખ્ય રીતે જ્વેલરી ઉદ્યોગની જરૂરિયાતને પૂરી કરે છે. ભારત દર વર્ષે 700-800 ટન સોનું ઈમ્પોર્ટ કરે છે.