HDFC Bank new Interest rates on Saving Account: ખાનગી ક્ષેત્રની દિગ્ગજ HDFC બેંકે તેના ખાતાધારકો માટે મોટા સમાચાર આપ્યા છે. બેંકે તેના બચત ખાતા પર ઉપલબ્ધ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ પછી હવે HDFC બેંકના ગ્રાહકોને બદલાયેલા દરો પર વ્યાજ મળશે.


બેંકે માહિતી આપી છે કે તે બચત ખાતામાં 50 લાખ રૂપિયાથી ઓછી રકમ પર 3 ટકાના દરે વ્યાજ આપશે. આ સિવાય ખાતાધારકોને 50 લાખ રૂપિયાથી વધુની રકમ પર 3.5 ટકાના દરે વ્યાજ મળશે. HDFC બેંક 50 લાખથી 1000 કરોડ રૂપિયાની રકમ પર 3.5 ટકાના દરે વ્યાજ આપશે. આ સિવાય જો બચત ખાતામાં 1000 કરોડ રૂપિયાથી વધુ છે તો ખાતાધારકને 4.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.


એચડીએફસી બેંકે તાજેતરમાં તેની વેબસાઇટ પર આ માહિતી અપડેટ કરી છે અને આ બદલાયેલા દરો 2 ફેબ્રુઆરી, 2022થી લાગુ થશે. આ રીતે, બેંકે તેના ગ્રાહકોને તેમના બચત ખાતા પરના દરોમાં ફેરફાર વિશે જાણ કરી છે. જોકે, બેંકે આ માહિતી બેંકના ગ્રાહકોને વ્યક્તિગત રીતે SMS દ્વારા આપી નથી.


એસબીઆઈએ એફડીના રેટમાં કર્યો વધારો


સ્ટેટ બેંક (SBI) માં ખાતું ધરાવતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ બેંકમાં FD કરાવવાનો પ્લાન છે અથવા તો તમે કરી ચૂક્યા છો તો હવે તમને તેના પર વધુ ફાયદો મળશે. SBIએ FDના વ્યાજ દરમાં ફરી વધારો કર્યો છે. બેંકે એક સપ્તાહમાં બીજી વખત FDના દરમાં ફેરફાર કર્યો છે.


સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે


તમને જણાવી દઈએ કે આ વખતે બેંકે લાંબા ગાળાની બેંક FDના દરમાં વધારો કર્યો છે. SBIએ કહ્યું કે 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. SBIએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર બેંક FD રેટ વિશે માહિતી આપી છે.


10 બેસિસ પોઈન્ટ વધારો


બેંક દ્વારા જારી કરાયેલા નવા વ્યાજ દર 22 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે, પરંતુ તેની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી છે. બેંક દ્વારા વધેલા વ્યાજ દરો માત્ર 2 કરોડથી ઓછીની FD પર જ લાગુ થશે. બેંકે FD પર 7 દિવસથી 10 વર્ષ સુધી 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.