રાજકોટઃ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કપાસિયા તેલનો ડબ્બો સીંગતેલ ની સમકક્ષ પહોંચવાની તૈયારીમાં છે. કપાસિયા અને સીંગતેલના ડબ્બા વચ્ચે હવે માત્ર  85 રૂપિયાનો તફાવત. ભાવ વધતા કપાસિયા તેલનો ડબ્બો રૂ 2015 નો થયો. સીંગતેલનો ડબ્બો રૂપિયા 2300 રૂપિયાની સપાટીએ. સતત કપાસના ભાવ વધારાને લઇને કપાસિયા તેલમાં ભાવમાં વધારો. ગત વર્ષ કરતા કપાસના ભાવ ડબલ થયા.


PM Vaya Vandana Scheme Benefits: સરકાર નાગરિકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે તેમના સારા ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આ યોજનાઓમાં રોકાણ કરીને લોકો 60 વર્ષની ઉંમર પછી પેન્શનનો લાભ લઈ શકે છે. આવી જ એક પેન્શન યોજના યોજના છે પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ યોજના કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2017માં શરૂ કરી હતી.


આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો હેતુ એ છે કે તેઓ દેશના વરિષ્ઠ નાગરિકોને પેન્શન યોજનાનો લાભ આપી શકે. આ યોજના દ્વારા દેશના 60 વર્ષથી વધુ વયના નાગરિકો પોતાના માટે મહિનાની પેન્શન યોજના પસંદ કરી શકે છે. વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં નાણાંનું રોકાણ કરીને 10 વર્ષમાં 8 ટકા વ્યાજ (PM વય વંદના યોજના પર વ્યાજનો દર) મળે છે. જો નાગરિકો વાર્ષિક યોજના પસંદ કરે છે, તો તેમને 8.3 ટકાના દરે વ્યાજ મળે છે.


આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક સુરક્ષા યોજના છે, જે વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય આપવામાં મદદ કરે છે. સરકાર આ યોજના એલઆઈસીના સહયોગથી ચલાવે છે. 60 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. આમાં, રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયા (Investment Tips) નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ દ્વારા તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રોકાણ કરી શકો છો. આ સ્કીમ ખરીદવા માટે તમારે LICની વેબસાઈટ પર જઈને ચેક કરવું પડશે. આ સિવાય તમે LICની શાખામાં જઈને પણ તેમાં રોકાણ કરી શકો છો.



 


પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરતા પહેલા જાણવા જેવી મહત્વની બાબતો-









આમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની હોવી જોઈએ.


તમે આમાં 31 માર્ચ, 2023 સુધી જ રોકાણ કરી શકો છો.


આમાં રોકાણના આધારે, વરિષ્ઠ નાગરિક યોજનાઓમાં દર મહિને રૂ. 1,000 થી રૂ. 9,250 સુધીનું રોકાણ કરવામાં આવે છે.


આ પ્લાનને GSTના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે.


આ રીતે પોલિસી પાછી ખેંચી શકાય છે


તમને જણાવી દઈએ કે જો કોઈ રોકાણ કર્યા પછી પૈસા ઉપાડવા માંગે છે, તો તે 15 દિવસની અંદર તેને પરત પણ કરી શકે છે. LICની ઑફિસમાંથી ખરીદેલી પૉલિસી 15 દિવસની અંદર પરત કરવાની રહેશે અને ઑનલાઇન ખરીદેલી પૉલિસી 30 દિવસમાં પરત કરવાની રહેશે. આ પછી, તેનું રિફંડ નિયમો અનુસાર ગ્રાહકને પરત કરવામાં આવે છે.