Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ'

જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.

gujarati.abplive.com Last Updated: 12 Aug 2024 02:14 PM

બ્રેકગ્રાઉન્ડ

Hindenburg Research Live Updates:  હિંડનબર્ગ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર કથિત અદાણી કૌભાંડ સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો. આ અંગે...More

દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે

હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટ પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે સાથે મળીને દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થાય છે અને રવિવારે હોબાળો થાય છે. તેથી સોમવારે મૂડીબજારમાં અસ્થિરતા આવે છે. તેમણે કહ્યું કે ભારત શેરબજાર મામલે સુરક્ષિત, સ્થિર અને આશાસ્પદ બજાર છે. બજારને સરળ રીતે ચલાવવાની કાનૂની જવાબદારી સેબીની છે. જ્યારે સેબીએ તેની તપાસ પૂર્ણ કર્યા પછી જૂલાઈમાં હિંડનબર્ગને નોટિસ જાહેર કરી ત્યારે તેણે પોતાના બચાવમાં કોઈ જવાબ આપ્યા વિના આ હુમલો કર્યો, જે પાયાવિહોણો આક્ષેપો છે. સેબીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરી હતી.