IMEI Registration: મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારો માટે તેમના સ્માર્ટફોનના IMEI નંબર (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી)ની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ભારતમાં વેચાતા તમામ મોબાઈલ હેન્ડસેટનો IMEI નંબર તેના નકલી ઉપકરણ નિવારણ પોર્ટલ પર રજીસ્ટર કરાવવો પડશે. ટેલિકોમ વિભાગે 26 સપ્ટેમ્બરે ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ જાણકારી આપી છે.


26 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું


સરકારે આ સંબંધમાં 26 સપ્ટેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે આ નોટિફિકેશન પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ વિથ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022 હેઠળ જારી કરવામાં આવ્યું છે. જે પોર્ટલ પર તેને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તે વર્ષ 2020 થી કાર્યરત છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2023 પહેલા પૂર્ણ કરવાની રહેશે, ત્યારબાદ કાર્યવાહી કરી શકાશે.


શા માટે સરકારે આટલું મોટું પગલું ભર્યું


કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના હેઠળ ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને બ્લોક કરી શકાય છે. આવા હેન્ડસેટના દુરુપયોગને રોકવા માટે સરકારે પણ આ પગલું ભર્યું છે. સરકાર વિવિધ સુરક્ષા મુદ્દાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગથી વાકેફ છે અને તેથી જ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.


IMEI નંબર શું છે


ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર એ કોઇપણ મોબાઇલ ફોનનો યુનિક ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર છે. તેમાં કુલ 15 અંક છે. ઘણી વખત મોબાઈલ ખોવાઈ જાય પછી તેને શોધવામાં મુશ્કેલી પડે છે. તેનું કારણ એ છે કે ટેલિકોમ નેટવર્કમાં સમાન IMEI નંબરવાળા નકલી ઉપકરણો છે.


આના દ્વારા તમે મોબાઈલના મોડલ, તેના ઉત્પાદનનું સ્થળ અને મોબાઈલ ઉપકરણના સીરીયલ નંબર વિશે જાણી શકો છો. આંકડાઓ અનુસાર, ભારતમાં લગભગ 25 મિલિયન લોકોએ IMEI વિના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.


હવે ફોન ચોરી કરનારાઓનું આવી બનશે


માર્કેટમાં એક જ IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલ ફોનના કિસ્સામાં, જો એક મોબાઈલ ચોરાઈ ગયો હોય તો તેને ટ્રેક કરી શકાતો નથી. નવા નિયમો અનુસાર દરેક ફોન યુનિટની ઓળખ અનન્ય હોવી જોઈએ. મતલબ કે હવે પહેલા કરતા ચોરાયેલા ફોનને ટ્રેસ કરવામાં સરળતા રહેશે અને ચોર પોલીસના હાથે ઝડપાઈ જશે. 1 જાન્યુઆરી 2023થી નવા ફેરફારનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.