McKinsey Health Institute Survey: તાજેતરમાં જ મેકિનસે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રેષ્ઠ કર્મચારી સુખાકારી ધરાવતા દેશો વિશે વૈશ્વિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બીએનએન બ્લૂમબર્ગ અહેવાલ મુજબ, રિસર્ચમાં તેમને જાણવા મળ્યું કે ભારત વિશ્વમાં બીજા ક્રમનું શ્રેષ્ઠ કર્મચારી સુખાકારી ધરાવે છે. પ્રથમ સ્થાને રહેલા તુર્કીએ સૌથી વધુ 78% સ્કોર કર્યો છે.


જાપાન સૌથી છેલ્લા ક્રમે


સર્વે મુજબ, ભારત ચીન અને જાપાનથી આગળ છે અને સર્વેમાં 76% અંક મેળવ્યા છે. જ્યારે જાપાન 25% સ્કોર કરીને સૌથી નીચું સ્થાન મેળવ્યું છે. ચીન 75%ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. વૈશ્વિક સરેરાશ 57% હતી.


ટાઈમ્સ નાઉના જણાવ્યા અનુસાર, સર્વેક્ષણના પરિણામો એવા સમયે આવ્યા છે જ્યારે ભારત યુવા ભારતીયો માટે અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નારાયણ મૂર્તિના સૂચન પર ચર્ચા કરી રહ્યું છે. ઇન્ફોસિસના સ્થાપક દ્વારા કરવામાં આવેલા આ સૂચનને વિવિધ ટેક કંપનીઓના સીઈઓ દ્વારા ઘણો ટેકો મળ્યો હતો. અન્ય લોકો પણ હતા જેઓ મૂર્તિ સાથે અસંમત હતા.


30 હજારથી વધુ કર્મચારીઓ પર સર્વે


30 દેશોમાં 30,000 થી વધુ કર્મચારીઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો. મેકકિન્સેના કર્મચારી સુખાકારી સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જે કર્મચારીઓને હકારાત્મક કામના અનુભવો હતા કામમાં વધુ નવીનતા ધરાવે છે અને નોકરીની કામગીરીમાં સુધારો કર્યો છે. અભ્યાસમાં જાપાનને 25 ટકા માર્ક્સ મળ્યા છે.  જાપાન પછી બ્રિટન, નેધરલેન્ડ, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને પોલેન્ડ નીચેના ક્રમમાં છે.




ILOના શું કહે છે આંકડા


ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના 2023માં અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતીયો વિશ્વના સૌથી સખત કામદારોમાં સામેલ છે, જેઓ રોજગારી વ્યક્તિ દીઠ દર અઠવાડિયે 47.7 કલાક ફાળવે છે.


જાપાનમાં નાખુશ કર્મચારીઓનું કારણ શું છે?


જાપાનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, જેના કારણે કર્મચારીઓમાં અનિશ્ચિતતા વધી રહી છે. રાશેલ કોપે જણાવ્યું કે, પોતાને ઓછો આંકવાનો દસ્તાવેજીકૃત વલણ, કાર્યસ્થળે સંતોષનો અભાવ અને વધેલા તણાવનું સ્તર જાપાનના રેન્કિંગના કારણોમાંનું એક છે.