લોકડાઉનમાં લોકોને મળી મોટી રાહત, રાંધણ ગેસના સિલિન્ડરમાં આટલા રૂપિયાનો કરાયો ઘટાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 May 2020 05:05 PM (IST)
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. આજથી સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે. રાજધાની દિલ્હીમાં સબસિડી વગરનો સિલિન્ડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. આ પહેલા તેનો ભાવ 744 રૂપિયા હતો. મંબઈમાં 192 રૂપિયાના ઘટાડા સાથે નવા ભાવ 579 રૂપિયા હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં 569 .50 હશે. સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિન્ડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિન્ડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિન્ડર 586 રૂપિયાનો થયો છે.