PNB ATM Transaction Fees: જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે ખરાબ સમાચાર છે. જો તમારી પાસે તમારા બેંક ખાતામાં પૂરતું ભંડોળ ન હોય અને ATMમાંથી નાણાં ઉપાડતી વખતે, ખાતામાં ઓછા બેલેન્સને કારણે વ્યવહાર નિષ્ફળ જાય, તો PNB તમારી પાસેથી રૂ. 10+ GST ​​પેનલ્ટી ચાર્જ વસૂલશે. આ નવો નિયમ 1 મે, 2023થી લાગુ થવા જઈ રહ્યો છે.


પંજાબ નેશનલ બેંકે (Punjanb National Bank) પોતાની વેબસાઈટ પર નોટિસ જારી કરીને આ જાણકારી આપી છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે પ્રિય ગ્રાહક, 1 મે, 2023 થી, અપૂરતા ભંડોળને કારણે ઘરેલુ ATM વ્યવહારોમાંથી રોકડ ઉપાડવામાં નિષ્ફળતા માટે 10 રૂપિયા + GSTનો ચાર્જ ચૂકવવો પડશે. પંજાબ નેશનલ બેંકે ગ્રાહકોને એસએમએસ મોકલવાનું શરૂ કર્યું છે જેમાં ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થવા પર વસૂલવામાં આવતા ચાર્જ વિશે માહિતી આપવામાં આવી છે. આ મેસેજ બેંકના ખાતાધારકોને સતત મોકલવામાં આવી રહ્યો છે.


તમારા ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં, જો ATMમાંથી ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો ગ્રાહકોની આ સમસ્યાને ઉકેલવા માટે PNBએ માર્ગદર્શિકા બનાવી છે. PNB વેબસાઈટ અનુસાર



  1. ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાના કિસ્સામાં ફરિયાદનું નિરાકરણ ફરિયાદ મળ્યાના સાત દિવસમાં કરવામાં આવશે.

  2. જો વ્યવહારના 30 દિવસની અંદર દાવો કરવામાં આવે તો ફરિયાદના વિલંબિત નિવારણ માટે રૂ. 100 પ્રતિ દિવસના દરે વળતર આપવામાં આવશે.

  3. જો ATM પર ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો PNB ગ્રાહકો ગ્રાહક સંબંધ કેન્દ્રને 0120-2490000 અથવા ટોલ ફ્રી નંબર 1800180222 અને 18001032222 પર ફરિયાદ કરી શકે છે.


પંજાબ નેશનલ બેંક ગ્રાહક સંતોષ સર્વે પણ કરી રહી છે. PNBની વેબસાઈટ પર જઈને તમે આ સર્વેમાં ભાગ લઈ શકો છો અને PNBની સેવાઓ વિશે તમારો અભિપ્રાય આપી શકો છો. ઉપરાંત, તમે કહી શકો છો કે તમે પંજાબ નેશનલ બેંકની સેવાઓથી સંતુષ્ટ છો કે નહીં.


નોંધનીય છે કે, થોડા સમય પહેલા પંજાબ નેશનલ બેંક દ્વારા તેના સ્થાપના દિવસ પર એક નવો નંબર જારી કરવામાં આવ્યો છે. બેંકે તેના નવા કસ્ટમર કેર નંબર 1800-1800 અને 1800-2021 લોન્ચ કર્યા છે. આ નંબરો યાદ રાખવા માટે સરળ છે. આનો હેતુ PNB ગ્રાહક માટે ગ્રાહક સંભાળ ટીમનો સંપર્ક કરવાનું સરળ બનાવવાનો છે.