બેન્કો માટે લોકોને આપેલી લોન ફસાઇ જવી ખૂબ જ સામાન્ય છે. પરંતુ જ્યારે લોન ફસાઇ જાય છે, ત્યારે તેને વસૂલ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ પાંચ જાહેર ક્ષેત્રની બેન્કોએ એક રણનીતિ બનાવવા માટે ભેગા થયા છે જેથી ફસાયેલી લોની વસૂલાત કરી શકાય. એસબીઆઇ, પીએનબી અને બેન્ક ઓફ બરોડા સહિત પાંચ બેન્કો 5 કરોડ રૂપિયાથી ઓછી રકમના રિટેલ અને MSME લોનની વસૂલાત માટે એક કોમન કલેક્શન એજન્સી બનાવવાની યોજના પર કામ કરી રહી છે.
લોન વસૂલાત માટે સંયુક્ત પગલાં
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, હાલમાં આ પાંચ જાહેર ક્ષેત્રની બેન્કો - PSB એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ફર્મ બનાવવામાં આવશે, જે પ્રુ ઓફ કંન્સેપ્ટ પર આધારિત હશે અને પછીથી અન્ય બેન્કો સાથે જોડાશે. નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડની તર્જ પર તેને બનાવવાનો હેતુ એ છે કે તે બેન્કોને કોર બેન્કિંગ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યારે એક જ લોન લેનાર વ્યક્તિએ ઘણી બેન્કો પાસેથી પૈસા લીધા હોય.
હવે લોન વસૂલાતનો એક ખાસ રસ્તો હશે
હાલમાં ફક્ત ત્રણથી ચાર સરકારી બેન્કો અટકેલી લોનની વસૂલાતનું આઉટસોર્સિંગ કરી રહી છે. આવી સ્થિતિમાં એકવાર આ એજન્સી રચાઈ જશે, તે બેન્કોને આ નાની લોનને બદલે મોટા ડિફોલ્ટરોની અટકેલી લોન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.
નોંધનીય છે કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં પીએનબી છેતરપિંડીનો કેસ પણ સામેલ છે, જ્યારે બેંકને આ છેતરપિંડી વિશે ખૂબ પાછળથી ખબર પડી હતી. આવી સ્થિતિમાં જો સમયસર આ નાની લોનની વસૂલાત માટે એક અલગ એજન્સી હશે, તો બેન્કને તેના મોટા લોન લેનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સંપૂર્ણ તક મળશે. આ પાંચ બેન્કો માટે એજન્સી કામ કરવાનું શરૂ કરતી વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં અન્ય બેન્કો પણ તેની મદદ લેશે.