આ જાહેરાત બાદ BSE પર બજાજ ફાઈનાન્સના શેરમાં 6.5 ટકાનો કડાકો બોલ્યો છે. રાહુલ બજાજની જગ્યાએ તેમના પુત્ર સંજીવ બજાજ 1 ઓગસ્ટથી બજાજ ફાઈનાન્સના ચેરમેનનું પદ સંભાળશે.
હાલ તેઓ કંપનીમાં વાઈસ ચેરમેનના પદ પર છે. આ સાથે જ તેઓ 2013થી બજાજ એલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની અને બજાજ એલાયન્ઝ જનરલ કંપનીમાં પણ ચેરમેન છે. સાથે જ તેઓ બજાજ હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટમાં પણ મેનેજિંગ ડિરેક્ટર છે.