Railways Ticketing System: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ ટિકિટિંગની નવી સુવિધા શરૂ કરી છે, જેના કારણે તેમને રાહ જોવી અને લાંબી લાઈનોમાંથી મુક્તિ આપી છે. આ અંતર્ગત રેલવે મુસાફરો હવે Paytm, PhonePe, Freecharge જેવી UPI આધારિત મોબાઈલ એપ્સ પરથી QR કોડ સ્કેન કરીને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન પર મુસાફરી ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને માસિક પાસના રિન્યૂઅલ માટે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.


ATVM સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવાની સુવિધા


નવી સુવિધામાં, મુસાફરો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનથી ઉપલબ્ધ સુવિધાઓ માટે ડિજિટલ વ્યવહારો દ્વારા ચૂકવણી પણ કરી શકશે. મુસાફરો આના દ્વારા ATVM સ્માર્ટ કાર્ડ રિચાર્જ પણ કરી શકશે. રેલવે વતી આ સુવિધા શરૂ કરવાના અવસરે મુસાફરોને ડિજીટલ મોડમાં મહત્તમ ચૂકવણી કરવા અને લાંબી કતારમાંથી મુક્તિ મેળવવા અપીલ કરી હતી.


પ્રથમ તબક્કામાં કેટલાક સ્ટેશનો પર સુવિધા શરૂ કરવામાં આવી છે


અવારનવાર આવા સ્ટેશનો પર, રેલવે બોર્ડને મુસાફરો તરફથી ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોવાની ફરિયાદો મળી હતી. ઘણી વખત સ્ટેશનો પર લાંબી કતારોને કારણે મુસાફરો ટ્રેન ચૂકી જાય છે. પ્રથમ તબક્કામાં, તે માત્ર કેટલાક સ્ટેશનો પર શરૂ કરવામાં આવ્યું છે, ધીમે ધીમે મુસાફરો દેશભરના તમામ સ્ટેશનો પર આ સુવિધાનો લાભ લઈ શકશે.


મુસાફરોને સુવિધા મળશે


નોર્થ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, આ માટે રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવેલા ATVMમાં તમામ સેવાઓ માટે UPI QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરીને મુસાફરો ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરીને ટિકિટ મેળવી શકે છે. આ સિવાય મુસાફરો AVTM સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. તેને સ્કેન કરીને પેમેન્ટ કર્યા બાદ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનની ટિકિટ તરત જ મળી જશે.