Minimum Balance: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક ગ્રાહકોને મોટી રાહત આપી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, હવે નિષ્ક્રિય ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો પણ ચાર્જ કાપવામાં આવશે નહીં. રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે જે બેંક ખાતાઓમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું તેના પર મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ કરી શકાય નહીં. ઉપરાંત, શિષ્યવૃત્તિ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માટે ખોલવામાં આવેલા ખાતાઓને પણ નિષ્ક્રિય કરવામાં આવશે નહીં. ભલે બે વર્ષથી તેમનામાં કોઈ વ્યવહાર ન થયો હોય. આ નવા નિયમો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.


RBIએ એક પરિપત્ર બહાર પાડ્યો છે


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આરબીઆઈએ આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આરબીઆઈના નવા નિયમો હેઠળ બેંકોએ ગ્રાહકોને ખાતા નિષ્ક્રિય કરવા વિશે જાણ કરવી પડશે. બેંકોમાં નિષ્ક્રિય પડેલા નાણાંને ઘટાડવા માટે આરબીઆઈ તમામ પ્રયાસો કરી રહી છે. આ પરિપત્ર પણ આ પ્રયાસનો એક ભાગ છે.


એસએમએસ, પત્ર અથવા ઈમેલ દ્વારા માહિતી આપવાની રહેશે.


નવા નિયમો હેઠળ, બેંકોએ ગ્રાહકોને તેમના ખાતાને નિષ્ક્રિય કરવા વિશે SMS, પત્ર અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવી પડશે. બેંકોને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો નિષ્ક્રિય ખાતાના માલિક તરફથી કોઈ જવાબ ન મળે તો ગેરેંટરનો સંપર્ક કરવો પડશે. નવું ખાતું ખોલાવતી વખતે ગેરેંટર જરૂરી છે.


એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં


નિયમો મુજબ, બેંકોને નિષ્ક્રિય ખાતા તરીકે નિયુક્ત કરાયેલા કોઈપણ ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા માટે દંડ વસૂલવાની મંજૂરી નથી. નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર, માર્ચ 2023ના અંત સુધીમાં દાવા વગરની થાપણો 28 ટકા વધીને રૂ. 42,272 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 32,934 કરોડ હતી.


RBIને 10 વર્ષથી બંધ ખાતામાંથી પૈસા મળશે


ડિપોઝિટ ખાતાઓમાં કોઈપણ બેલેન્સ કે જે 10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થયું હોય. બેંકોએ આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલ ડિપોઝિટર્સ અને એજ્યુકેશન અવેરનેસ ફંડમાં નાણાં ટ્રાન્સફર કરવા જરૂરી છે.


આ પણ વાંચોઃ


માત્ર આધાર કાર્ડ દ્વારા જાણો તમારું બેંક બેલેન્સ, બેંક અથવા કોઈપણ એપ પર જવાની જરૂર નથી