RBI Cheque Clearance Rule: ભારતીય રિઝર્વ બેંકે  બેંક ખાતાધારકો માટે એક નવી ચેક ક્લિયરન્સ સિસ્ટમ રજૂ કરી છે, જે આવતીકાલથી 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. નવી સિસ્ટમ હેઠળ હવેથી તમારા ચેક એક જ દિવસમાં ક્લિયર થઈ જશે. ગ્રાહકોને હવે ચેક ક્લિયર થવા માટે દિવસો સુધી રાહ જોવી પડશે નહીં. ચેક હવે થોડા કલાકોમાં ક્લિયર થઈ જશે. બેંકના ગ્રાહતો માટે આ સૌથી કામના સમચાર છે. 

Continues below advertisement

તમારો ચેક કેવી રીતે ક્લિયર થશે તે જાણો

RBI એ જણાવ્યું છે કે બેંકો એક જ દિવસમાં ચેક ક્લિયર કરવા માટે CTS (ચેક ટ્રંકેશન સિસ્ટમ) સુવિધાનો ઉપયોગ કરશે. આ સિસ્ટમ હેઠળ  જો તમે બેંકમાં ચેક જમા કરાવો છો તો બેંક તમારા ચેકની સ્કેન કરેલી નકલ સંબંધિત બેંકને મોકલશે. બેંકે નિર્ધારિત સમયની અંદર તેને સ્વીકારવી અથવા નકારી કાઢવી આવશ્યક છે. જો તમે સાચી તારીખ, ચુકવણી કરનારનું નામ અને રકમ દાખલ કરી હોય તો તમારો ચેક તે જ દિવસની અંદર ક્લિયર થઈ જશે. RBI એ જણાવ્યું હતું કે ચેક પર કોઈપણ ઓવરરાઈટિંગ તેને અમાન્ય અને નકારવામાં આવશે. વધુમાં, ચેક પરની સહી બેંકમાં તમારી હાલની સહી સાથે મેળ ખાતી હોવી જોઈએ.

Continues below advertisement

RBI બે તબક્કામાં શરૂ કરશે

RBI અનુસાર, ચેક ક્લિયરન્સ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો 4 ઓક્ટોબર, 2025 થી શરૂ થશે અને 3 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. નવા નિયમો હેઠળ, બેંકે ચેક જમા કરાવ્યા પછી સાંજે 7 વાગ્યા સુધીમાં તેને સ્વીકારવો અથવા નકારવો પડશે.

બીજો તબક્કો 3 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. આ હેઠળ, RBI દૈનિક ચેક ક્લિયરન્સ સમય ઘટાડીને ત્રણ કલાક કરશે. આનો અર્થ એ છે કે તમારા ચેકને ક્લિયર કરવામાં ફક્ત ત્રણ કલાક લાગશે. આ સુવિધા ગ્રાહકોને ઘણો ફાયદો કરશે. અગાઉ, ચેક ક્લિયરન્સ સમયમાં સામાન્ય રીતે બે થી ત્રણ દિવસ લાગતા હતા, જેના કારણે ગ્રાહકોને નોંધપાત્ર અસુવિધા થતી હતી. 

RBI દ્વારા એક જ દિવસમાં ચેક ક્લિયર કરવાનો નિયમ લાવવામાં આવતા બેંકના ગ્રાહકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ચેક પરની સહી બેંકમાં તમારી હાલની સહી સાથે મેળ ખાતી હોવી જોઈએ.