RBI Update: બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોમાં તેમની મહેનતની કમાણી જમા કરાવનારાઓને મોટી રાહત આપી છે. હવે બેન્કોમાં 1 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ કરનારા થાપણદારો પાકતી મુદત પહેલા પૈસા ઉપાડી શકશે, પહેલા આ મર્યાદા 15 લાખ રૂપિયા હતી. આ એટલા માટે શક્ય બની શક્યું છે કારણ કે આરબીઆઈએ નોન-કેલેબલ ડિપોઝિટ ધરાવતી ટર્મ ડિપોઝિટની મર્યાદા 15 લાખથી વધારીને  1 કરોડ રૂપિયા સુધીની કરી દીધી છે. RBIનો આ આદેશ NRE ડિપોઝિટ અને NRO ડિપોઝિટ પર પણ લાગુ થશે. આરબીઆઈનો આ આદેશ તરત જ લાગુ કરી દેવાયો છે                                                               


RBI એ 26 ઑક્ટોબર 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે, બેન્કોને પ્રી-મેચ્યોર વિડ્રોલ ઓપ્શન સાથે 15 લાખ રૂપિયા કે તેથી ઓછી મુદતની થાપણો લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઉપરાંત, બેન્કોને પ્રી-મેચ્યોર વિકલ્પ વિના નોન-કેલેબલ ડિપોઝીટ પર જુદા જુદા વ્યાજ દરે થાપણો સ્વીકારવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેની સમીક્ષા કર્યા બાદ આરબીઆઈએ નિર્ણય લીધો છે કે નોન-કેલેબલ એફડીની મર્યાદા રૂ. 15 લાખથી વધારીને  1 કરોડ રૂપિયા કરવામાં આવી છે જેના પર પ્રી-મેચ્યોર વિડ્રોલ ફેસિલિટી ઉપલબ્ધ થશે. આ નિર્ણય NRE અને NRO થાપણો પર પણ લાગુ થશે.                            


નોંધનીય છે કે નોન-કેલેબલ ડિપોઝિટ હેઠળ આવતી FDની મુદત પૂરી થાય તે પહેલાં પ્રી-મેચ્યોર વિડ્રોલનો કોઈ વિકલ્પ નથી. એકવાર આવી એફડીમાં પૈસા જમા થઈ જાય પછી કાર્યકાળ પૂરો થાય તે પહેલાં એફડી તોડી શકાતી નથી. બેન્કો નોન-કેલેબલ એફડી પર સામાન્ય એફડી કરતાં વધુ વ્યાજ ચૂકવે છે. દાખલા તરીકે, બેન્ક ઓફ બરોડા 2 કરોડ રૂપિયાથી ઓછીની નોન-કેલેબલ એફડી પર 0.25 ટકા વધુ વ્યાજ આપે છે.