Jio AirFibre: મુકેશ અંબાણીએ Jio Airfiber ને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે.


JIO INFOCOMMના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આજે JIO સ્માર્ટ હોમ સેવાઓ શરૂ કરી રહ્યું છે. JIO ઝડપથી સ્માર્ટ હોમ સર્વિસ ફેલાવશે. JIO બ્રોડબેન્ડ સેવા દ્વારા સ્માર્ટ હોમ પર ભાર આપી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ઉદ્યોગ માટે JIO True 5G લેબની જાહેરાત કરી છે. JIO True5G લેબથી ઉદ્યોગ પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે આનાથી અમારા ઘરોને મેનેજ કરવાનો અનુભવ બદલાશે. Jio Fiberના પહેલાથી જ 10 મિલિયનથી વધુ ગ્રાહકો છે. આ સાથે દર મહિને નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે. Jio AirFiber દ્વારા, અમારો ગ્રાહક આધાર વધીને 200 મિલિયન ઘરો સુધી પહોંચશે.


મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો નવા ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી રહ્યું છે. દેશમાં સરેરાશ વપરાશકર્તા દરરોજ 25 GB ડેટા વાપરે છે અને દેશના કુલ 5G નેટવર્ક વપરાશમાં Jioનો હિસ્સો 85 ટકા છે. Jio દ્વારા ભારતમાં સૌથી ઝડપી 5G નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.


મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. FY2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ પ્રોફિટ રેકોર્ડ રૂ. 9.74 લાખ કરોડ રહ્યો છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ખર્ચ રૂ. 1271 કરોડ થયો છે.


આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થયા છે. મુકેશ અંબાણીએ એજીએમમાં ​​આની જાહેરાત કરી હતી.


RILના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટા કદમ ઉઠાવ્યા છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.


સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે નવું ભારત અટકતું નથી, થાકતું નથી અને હારતું નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ગ્રહ, પૃથ્વી, દેશ અને કંપનીના તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.