RBI Action: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ખાનગી ક્ષેત્રની કર્ણાટક બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, કર્ણાટક બેંક ઘણા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. જેના કારણે ખાનગી ક્ષેત્રની આ બેંક પર 59 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. કર્ણાટક બેંકના નાણાકીય પરિણામોના આધારે તપાસ શરૂ કરી હતી. બેંક ઘણી સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરતી ન હોવાનું બહાર આવ્યું હતું.  બેંક તરફથી મળેલા જવાબનું વિશ્લેષણ કર્યા બાદ દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


કર્ણાટક બેંકે 59 લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે 


RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દંડ 14 મે, 2024 ના રોજ લગાવવામાં આવ્યો છે. કર્ણાટક બેંક લિમિટેડને 59,10,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, આ બેંક વ્યાજ દર અને સંપત્તિ વર્ગીકરણ અને થાપણો પર એડવાન્સ સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી. આરબીઆઈએ કર્ણાટક બેંક સામે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ કાર્યવાહી કરી છે.


ઘણી અયોગ્ય કંપનીઓના નામે ખાતા ખોલવામાં આવ્યા હતા 


સેન્ટ્રલ બેંકે 31 માર્ચ, 2022ના રોજ કર્ણાટક બેંકના નાણાકીય પરિણામોના આધારે તપાસ શરૂ કરી હતી. બેંક ઘણી સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરતી ન હોવાનું બહાર આવ્યું હતું. આ પછી આરબીઆઈ દ્વારા બેંકને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. જેમાં બેંક પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ નોટિસના જવાબમાં બેંક તરફથી મળેલા જવાબનું વિશ્લેષણ કર્યા બાદ દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેંકે ઘણી અયોગ્ય કંપનીઓના નામે ખાતા ખોલાવ્યા હતા. ઉપરાંત, તે નિર્ધારિત સમય મર્યાદામાં કેટલાક લોન ખાતાઓનું નવીકરણ અને સમીક્ષા કરવામાં સક્ષમ ન હતા. તેમજ બેંકે તેમને નોન-પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે જાહેર કર્યા ન હતા.


આરબીઆઈના નિર્ણયની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય


આરબીઆઈએ કહ્યું કે કર્ણાટક બેંક સામે લેવાયેલા આ પગલાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. કર્ણાટક બેંક મેંગલુરુ સ્થિત ખાનગી બેંક છે. તેની 22 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 915 શાખાઓ, 1188 ATM અને લગભગ 1.1 કરોડ ગ્રાહકો છે. બેંકના શેર NSE અને BSE પર લિસ્ટેડ છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial