મુંબઈઃ સ્ટેટ  બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે પોતાની આધારથી ઓનલાઈન બચત ખાતું ખોલવાની સુવિધા ફરથી શરૂ કરી છે. આ સુવિધાનો ઉપયોગ બેંકના યોનો મંચના માધ્યમથી ડિજિટલ બચત ખાતું ખોલવા માટે કરી શકાય છે. યોનો (યૂ ઓનલી નીડ વન)બેંકની બેન્કિંગ અને જીવનશૈલી સાથે જોડાયેલ સેવાઓની એકિકૃત સેવા છે. બેંકે એક જાહેરાતમાં કહ્યું કે, ‘તાત્કાલીક બચત ખાતું’ની આ રજૂઆત અંતર્ગત ગ્રાહકોને એક પેપરલેસ અનુભવ મળશે.


ગ્રાહકોને મળશે બચત ખાતાના તમામ ફીચર

આ બચત ખાતા માટે ગ્રાહકોને માત્ર પાન નંબર અને આધાર નંબરની જરૂરત પડશે. બેંકના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, આ ખાતામાં ગ્રાહકોને બચત ખાતાના તમામ ફીચર મળશે. તેના માટે તેમને બેંક શાખાએ જવાની જરૂરત નહીં રહે.

યોનોના માધ્યમથી તાત્લાકી બચત ખાતું ખોલાવનાર તમામ ખાતાધારકોને બેંક તેમના નામ સાથેના એટીએમ કમ ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરશે.